બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / ગુજરાત / અમદાવાદ / An executive meeting of the Gujarat BJP is being held in Surendranagar

અનોખી પહેલ / સુરેન્દ્રનગરમાં ભાજપની કારોબારી બેઠક બાદ 700 આગેવાનો હોટલમાં ન રોકાતા સીધા પહોંચ્યા કાર્યકર્તાના ઘરે, કર્યું રાત્રી રોકાણ જાણો કેમ

Kishor

Last Updated: 08:13 AM, 24 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરેન્દ્રનગરમાં ગુજરાત ભાજપની કારોબારી બેઠક મળી રહી છે જેને લઈને ભાજપના આગેવાનોએ સુરેન્દ્રનગરમાં ધામા નાખ્યાં છે. આ વેળાએ ભાજપની નવી પહેલાના દર્શન થયા છે. જેમાં કાર્યકરોના ઘરે આગેવાનો મહેમાન બન્યા હતા.

  • સુરેન્દ્રનગરમાં ગુજરાત ભાજપની કારોબારી બેઠક
  • બેઠકમાં આવેલા ભાજપના આગેવાનો કાર્યકરોના ઘરે રોકાશે
  • સુરેન્દ્રનગરના કાર્યકરોના ઘરે રોકાશે ભાજપના આગેવાનો

નિતનવા પ્રયોગો કરવામાં માહિર ભાજપ જાણે રાજકરણની પ્રયોગ શાળા હોય તેવો ઘાટ સર્જાયો છે. તેવામાં સુરેન્દ્રનગરમાં ગુજરાત ભાજપની કારોબારી બેઠક પ્રદેશ બેઠક યોજાઈ.. જેમાં ભાજપના અનેક નેતાઓ આવશે. આ દરમિયાન ભાજપના આગેવાનો સુરેન્દ્રનગરમાં કાર્યકરોના ઘરે  રોકાણ કરશે. જેમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સુરેન્દ્રનગરના કાર્યકર્તાના ઘરે રાત્રી ભોજન કરવા પહોંચ્યા હતા.

નવતર પ્રયોગ શરૂ કરાયો

સુરેન્દ્રનગર જિલ્લામાં કાર્યકરો સાથે આત્મીયતા વધે અને કાર્યકરોનું માન-સન્માન વધે તે માટે ભાજપ દ્વારા નવો પ્રયોગ શરૂ કરાયો છે. જેમાં બેઠકમાં આવેલા ભાજપના આગેવાનો સુરેન્દ્રનગરના કાર્યકરોના ઘરે ભાજપના આગેવાનો રોકાશે. આ દરમિયાન અંદાજીત 700 હોદ્દેદારો કાર્યકર્તાઓ ઘરે રાત્રી રોકાણ કરશે. બીજી તરફ ટોચના નેતાઓ આંગણે મહેમાન બન્યા હોવાથી કાર્યકરો અને તેના પરિવારજનોમાં પણ ઉત્સાહનો કોઈ પર નથી. નેતાઓને ભાવતા ભોજનોયા કરાવવા ઉપરાંત અંતરના ઉમળકાથી મહેમાન કરી છે.

700 હોદ્દેદારો કાર્યકર્તાઓ ઘરે કરશે રાત્રી રોકાણ

સુરેન્દ્રનગરમાં ગુજરાત ભાજપની કારોબારી બેઠકને લઈને આવેલા ભાજપના આગેવાનો સુરેન્દ્રનગરના કાર્યકરોના ઘરે રોકાશે. જેમાં અંદાજીત 700 હોદ્દેદારો કાર્યકર્તાઓ ઘરે રાત્રી રોકાણ કરશે. મહત્વનું છે કે આ દરમિયાન ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સહિતના નેતાઓ કાર્યકરોના મહેમાન બન્યા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ