અવાર-નવાર બાળકીના નાકમાંથી દુર્ગંધ મારતું પ્રવાહી નીકળતું હોય અનેક દવા કરાવ્યા બાદ રાજકોટમાં ENT સર્જનને ત્યાં તપાસ કરાવતા નાકમાં રબ્બર ફસાઈ ગયું હોવાનું ખૂલ્યું
ENT સર્જને દૂરબીન વડે બાળકીના નાકમાંથી કાઢ્યો રબરનો ટુકડો
અપના રોજિંદા જીવનમાં નાના બાળકો કોઈક વાર એવી કોઈ વસ્તુ જેમ કે, બટન, સિક્કો કે રબર ગળી જતાં હોય છે કે જેથી બાળકોને મુશ્કેલી સર્જાય છે. જોકે મોટાભાગના કિસ્સાઓમાં સફળ ઓપરેશન દ્વારા એ વસ્તુ બહાર નિકાળવામાં આવતી હોય છે. આવી જ એક ઘટના રાજકોટથી સામે આવી છે. જેમાં એક બાળકીના નાકમાં કોઈ સમયે રમતાં-રમતાં રબ્બર જતું રહ્યું હતુ. જોકે પરિવારને આ બાબતે કોઈ જાણકારી ન હોય અવાર-નવાર બાળકીના નાકમાંથી દુર્ગંધ મારતું પ્રવાહી નીકળતું હોય અનેક દવા કરાવી હતી. જે બાદમાં રાજકોટમાં ENT સર્જન હિમાંશુ ઠક્કરને ત્યાં તપાસ કરાવ્યા બાદ નાકમાં રબ્બર ફસાઈ ગયું હોય ઓપરેશન કરી તેને નીકળી દેવાયું હતું.
શું હતી સમગ્ર ઘટના?
રાજકોટમાં છેલ્લા કેટલા વર્ષોથી મૂળ રાજસ્થાનના મદનભાઈ ત્રિવેદી પરિવાર રહે છે. તેમની 10 વર્ષની પુત્રી સુહાનીએ ત્રણ મહિનાથી નાકમાંથી દુર્ગંધ મારતું પ્રવાહી નીકળતું હતું. જેથી તેમણે અનેક જગ્યાએ સારવાર કરાવી હતી તેમ છતાં કોઈ ફેર પડ્યો ન હતો. આ દરમ્યાન તેઓએ રાજકોટ વિદ્યાનગર રોડ સ્થિત ENT સર્જન ડૉ.હિમાંશુ ઠક્કરને ત્યાં તપાસ કરાવી હતી. જ્યાં ડોક્ટરે દૂરબીન વડે સુહાનીના નાકમાંથી એક ઇંચ જેટલા રબરના ટુકડાને બહાર કાઢ્યો હતો.
નાકમાં રબરનો ટુકડો હોવાનું ખૂલ્યું
10 વર્ષની સુહાનીના નાકમાંથી દુર્ગંધ મારતું પ્રવાહી અને લોહી નીકળતું હોઇ પરિવારજનો ચિંતામાં મુકાઇ ગયા હતા. તો વળી સુહાનીને સતત શરદી અને નાક બંધ થઈ જવાની તકલીફ ઊભી થઈ હતી. જેને લઈ સુહાનીના પરિવારએ તેને લઈ અનેક દવાખાનાએથી દવા કરાવી પણ કોઈ ફરક નહીં પડતાં પરિવાર ચિંતિત બન્યો હતો. આ દરમ્યાન રાજકોટના ઇયર, નોઝ એન્ડ થ્રોટ એટલે કે ENT સર્જન ડૉ.હિમાંશુ ઠક્કર પાસે પુત્રીને લઈ ગયા બાદ ડોક્ટરે દૂરબીન વડે તપાસ કરતાં સૌ કોઈ ચોંકી ઉઠ્યા હતા. ડોક્ટરે સુહાનીના નાકમાંથી એક ઇંચ જેટલા રબરના ટુકડાને સફળતાપૂર્વક બહાર નીકળી ડેટ પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો હતો.
પોણા ઇંચનો રબરનો ટુકડો બહાર કઢાયો
રાજકોટના ENT સર્જન ડૉ.હિમાંશુ ઠક્કરે દૂરબીનથી તપાસ કરી તો ખબર પડી કે, સુહાનીના નાકની જમણી બાજુમાં કઈક ફસાયેલુ છે. જે બાદમાં ઓપરેશન થિયેટરમાં લઈ જઈને તપાસ કરતાં પોણા ઇંચનો રબરનો ટુકડો સફળતાંપૂર્વક બહાર કઢાયો હતો. મહત્વનું છે કે, આ રબરના ટુકડાને લીધે જ બાળકીને અનેક સમસ્યાનો સામનો કરવો પડતો હતો.
શું કહ્યું બાળકીના પિતાએ ?
આ તરફ સુહાનીના સફળ ઓપરેશન બાળકીના પિતા મદનભાઈએ જણાવ્યું હતું કે, મારી દીકરી સુહાનીના નાકમાં છેલ્લા બે-ત્રણ મહિનાથી કંઈક ફસાયેલું હતું. આ સાથે તેના નાકમાંથી અવારનવાર રસી અને લોહી નીકળતું હતું. જે બાદમાં અમે અનેક ડોકટરો પાસે સારવાર કરાવી પણ કોઈ ઉકેલ આવ્યો ન હતો. જે બાદમાં રાજકોટના ENT સર્જન ડૉ.હિમાંશુ ઠક્કરે દૂરબીનથી તપાસ કરી સુહાનીના નાકમાંથી રબરનું ટુકડો નીકળી દીધો છે.
શું કહ્યું ENT સર્જન ડૉ.હિમાંશુ ઠક્કરે ?
સમગ્ર મામલે ENT સર્જન ડૉ.હિમાંશુ ઠક્કરે જણાવ્યું હતું કે, નાના બાળકો રમતાં-રમતાં ક્યારેક કાન-નાક કે ગળામાં કોઈ વસ્તુઓ નાખી દેતાં હોય છે. અને તેના કારણે કેવિ ગંભીર પરિસ્થિતિ ઉદભવે તેનો તાજેતરનો કિસ્સો અમારી ઠક્કર હોસ્પિટલમાં સામે આવ્યો છે. હિમાની ત્રિવેદી નામની બાળકીને છેલ્લા કેટલા દિવસોથી નાકમાંથી દુર્ગંધ મારતું પ્રવાહી અને લોહી નીકળતું હતું. અમે દૂરબીનથી તપાસ કરી તો નાકમાં કઈ પીળા કલરનું છે. જે બાદમાં અમે ગણતરીની મિનિટોમાં જ ઓપરેશન થિયેટરમાં લઈ જઈ તપાસ કરતાં સુહાનીના નાકમાં થી એક રબ્બરનો ટુકડો નિકાળવામાં આવ્યો હતો.