મહારાષ્ટ્રમાં હાલ કડકાઇથી નિયમોનુ પાલન કરાવવામાં આવી રહ્યુ છે ત્યારે એક અંગ્રેજી શિક્ષક રિક્ષા ચલાવવા લાગ્યા છે અને મહામારીમાં લોકોની મદદ કરી રહ્યાં છે.
મહારાષ્ટ્રમાં અંગ્રેજી શિક્ષક ચલાવે છે ઑટો
કોરોના પેશન્ટને મફત લઇ જાય છે દવાખાને
ડિસચાર્જ થયેલા પેશન્ટને ઘરે પણ પહોંચાડે છે
આ શિક્ષકનું નામ દત્તાત્રેય સાવંત છે કે જે એક ટીચર છે પરંતુ હવે રિક્ષા ચલાવી રહ્યાં છે. જો કે તે આર્થિક મજબૂરીના કારણે આવુ નથી કરી રહ્યાં પરંતુ આ મહામારીમાં લોકોની મદદ કરવા માટે આવું કરી રહ્યાં છે. કોરોના વાયરસ સંક્રમિતોને ઘરથી હોસ્પિટલ લઇ જવા સાવંતનુ રોજનુ કામ છે. માત્ર આટલુ જ નહી શિક્ષક તરફથી કોરોના પેશન્ટ પાસે કોઇ પૈસા લેવામાં આવતા નથી.
દત્તાત્રેય દર્દીઓની મદદ કરતા સમયે સંપૂર્ણ સાવધાની રાખે છે. તે વાહનને સતત સેનેટાઇઝ કરે છે અને પીપીઇ કીટમાં જ હોય છે. તે કહે છે કે, તેના માટે હું બધી સુરક્ષા રાખુ છુ. હાલમાં કોરોનાના દર્દીની સંખ્યા ખુબ વધી રહી છે. તેમાં કેટલાક ઇલાજ ન મળવાને કારણે મરી રહ્યાં છે. સરકારી મદદ કે એેમ્બ્યુલન્સ ન મળવાને કારણે હું આ પ્રકારનુ કામ કરુ છુ. મારી મફત સેવા કોરોના પેશન્ટ માટે ચાલુ રહેશે.
તેમણે વધુમાં કહ્યું કે, હું પેશન્ટને કેર સેન્ટર્સ અને દવાખાનામાં મફત લઇ જઉ છુ. સાથે જ હોસ્પિટલમાંથી રજા મળી હોય તે લોકોને પણ ઘરે મૂકી આવું છુ. સાવંતની આ સેવા છેલ્લા થોડા સમયથી ઉત્તર પૂર્વી મુંબઇમાં ચાલી રહી છે. અત્યાર સુધી 26 કોરોના પેશન્ટને તે સેવા આપી ચૂક્યા છે. બધા જ લોકો તેમના કામની સરાહના કરી રહ્યાં છે.
300 વૈજ્ઞાનિકોનો પીએમ મોદીને પત્ર
પત્રના માધ્યમથી પીએમ મોદીને અપીલ કરવામાં આવી છે કે દેશના વૈજ્ઞાનિકોને તમામ પ્રકારના ડેટાનું અધ્યયન કરવાની પરવાનગી મળે જેનાથી વાયરસ હજું વધારે ઉંડા પૂર્વક સમજી શકાય અને સમય રહેતા પગલા ભરી શકાય તે જરુરી છે અશોકા યૂનિવર્સિટીના પ્રોફેસર શશિધરા અને કોલકત્તાના NIBMGમાં વૈજ્ઞાનિક પ્રોફેસર પ્રાથો મજૂમદારે આ પત્રને ડ્રાફ્ટ કર્યો છે. શશિધરાએ ભાર પૂર્વક કહ્યુ છે કે દેશમાં કોરોનાની સ્થિતિ બગડતી જઈ રહી છે અને જો સમય રહેતા જરુરી પગલા ન ભર્યા તો સ્થિતિ બેકાબૂ થઈ જશે. તેમણે જણાવ્યુ છે કે વૈજ્ઞાનિકોને હવે દરેક ડેટાનો ઉપયોગ કરવાની મંજૂરી મળવી જોઈએ. એવુ થતા જ આ મહામારીનો અંદાજ લગાવી શકાય છે અને પગલા ભરી શકાય છે.