જમ્મૂ-કશ્મીરમાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ થઈ. આ અથડામણમાં સેનાના એક SSB જવાન શહીદ થયા છે. પુલવામામાં આ આતંકી અથડામણ થઈ છે. ત્યારે સેના દ્વારા સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે અને આતંકીઓને ઠાર મારવા કાર્યવાહી હાથ ધરાઈ છે. ઉલ્લેખનીય છે કે ગઈ કાલે જમ્મૂ-કશ્મીરમાં સેનાએ પાંચ આતંકીઓને ઠાર માર્યા છે.
દક્ષિણી કશ્મીરના કુલગામ જિલ્લાના લારૂ ગામમાં આતંકાવાદીઓની હાજરી હોવાની સુચના મળતા સ્થાનિક સુરક્ષા જવાનોએ શનિવારની મોડી રાતથી જ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ સમયે એક મકાન પર છાપો મારતા આતંકીઓ ગભરાઇ ગયા હતા અને તેમણે સેનાના જવાનો પર ફાયરિંગ કરવાનું શરૂ કર્યું હતું.
Pulwama: Terrorists opened fire on a security force establishment in Tral's Midoora earlier today. One security personnel was injured in the attack & he later succumbed to his injuries. Police have registered a case and investigation has been initiated.
જો કે સેનાએ પણ વળતો જવાબ આપતા 3 આતંકીઓને ઠાર માર્યા હતા. તેમની ઓળખ શોપિયાં જિલ્લાના વાનગામના શહિદ ઉલ ઇસ્લામ તાંત્રે કુલગામ જિલ્લાના આરવાનીના યાઝિલ મકરૂ તથા અવાહતૂના જૂબૈર લોનના સ્વરૂપે થઇ હતી. આ ત્રણેય જૈશના આતંકી હોવાનું ખુલ્યું હતું.
આપને જણાવી દઇએ કે ઘમાસાણ પૂર્ણ થયા બાદ જવાનો ત્યાંથી ચાલ્યા ગયા હતા. જો કે સ્થાનિક લોકો આ નજારો જોવા માટે આવી પહોંચ્યા હતા જ્યાં આતંકીઓ છૂપાયેલા હતા. જો કે તે સમયે ઢગલામાં પડેલ એક ગ્રેનેડ ફાટતા આશરે 2 ડઝન લોકો ગંભીર રીતે ઘાયલ થયાં હતા. જેમાંથી 6 લોકોના મોત થયાં હતા.