ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં મોડી રાત્રે ભૂકંપના જોરદાર આંચકાના કારણે ધરતી ધ્રૂજી ઉઠી હતી. લખનૌ સહિત આસપાસના અનેક જિલ્લાઓમાં મોડી રાત્રે ભૂકંપના જોરદાર આંચકાને પગલે સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.
ઉત્તર પ્રદેશના અનેક વિસ્તારોમાં મોડી રાતે ધરા ધ્રુજી
5.2ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો
સ્થાનિકોમાં ફફડાટ, ઘરની બહાર દોડ્યા લોકો
આંચકો એટલો જોરદાર હતો કે લોકોએ તેને ગાઢ નિંદ્રામાં પણ અનુભવ્યો, ત્યારબાદ ઘણા લોકો ઘરની બહાર નીકળતા જોવા મળ્યા. ઉલ્લેખનીય છે કે રાતે 1.12 વાગ્યે આવેલા ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.2 માપવામાં આવી હતી. તેનું કેન્દ્ર લખનૌથી 139 કિમી દૂર ઉત્તર-ઈશાનમાં 82 કિમીની ઊંડાઈએ હતું.
उत्तर प्रदेश के लखनऊ से 139 किमी उत्तर-पूर्व में आज मध्य रात्रि में करीब 1.12 बजे 5.2 तीव्रता का भूकंप आया। भूकंप की गहराई जमीन से 82 किमी नीचे थी: नेशनल सेंटर फॉर सीस्मोलॉजी
અચાનક આવેલા ભૂકંપને પગલે સ્થાનિકોના જીવ તાળવે ચોંટ્યા
ઉલ્લેખનીય છે કે, આ ભૂકંપ રાજધાની લખનૌ, સીતાપુર, લખીમપુર ખેરી અને બરેલીમાં એવા સમયે આવ્યો હતો જ્યારે મોડી રાત્રે લોકો ગાઢ નિંદ્રામાં હતા. આ વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાતા જ લોકો ઘરની બહાર આવી ગયા હતા. જો કે ભૂકંપના જોરદાર આંચકામાં હજુ સુધી કોઈ નુકસાનના અહેવાલ નથી. પરંતુ આ ભૂકંપથી લોકો ચોંકી ઉઠ્યા હતા.
લોકોના ઘરનો સામાન હચમચી ઉઠ્યો
આ વિસ્તારના કેટલાક લોકોએ જણાવ્યું કે આ ભૂકંપ એટલો જોરદાર હતો કે ઘરોમાં રાખેલી ઘણી વસ્તુઓ લાંબા સમય સુધી ધ્રૂજતી રહી. જોકે, જન્માષ્ટમીના કારણે અનેક લોકો પંડાલો અને ઘરોમાં મોડી રાત સુધી જાગ્યા હતા. ભૂકંપના આંચકા આવતા જ લોકો ગભરાઈને રસ્તાઓ પર નીકળતા જોવા મળ્યા હતા.
ભૂકંપ આવે તો શું કરવું?
ભૂકંપના ઝટકા જેવા આવે તુરંત વાર કર્યા વગર ઓફિસ કે ઘરની બહાર નિકળી જવું.
વીજળીના થાંભલા, ઝાડ અને ઉંચી ઈમારતથી દૂર ઉભા રહેવુ.
ઘર કે ઓફિસ બહાર જતી વખતે લીફ્ટનો ઉપયોગ ન કરવો, સીડીનો ઉપયોગ કરવો.
ઘર આસપાસ જો મેદાન ન હોય તો એવી જગ્યા શોધો જ્યા છૂપાઈને બેસી શકાય.
ભૂકંપ આવે ત્યારે ખાસ કરીને ઘરમાં રહેલી ભારે વસ્તુથી દૂર રહેવું.
ઘરમાં રહેલા ભારે સામાન અને કાચથી દૂર રહેવુ જેથી વાગવાની શક્યતા ન રહે.
ભાગવાનો સમય ન મળે તો ટેબલ, પલંગ, ડેસ્ક જેવી મજબૂત જગ્યા નીચે ઘૂસી જવું.
દરવાજા હોય ત્યા ન ઉભા રહેવું જેથી દરવાજો ખુલે કે પડે તો વાગે નહીં.
સિસ્મોલોજી વિભાગની સાંત્વના