છેલ્લા કેટલાક મહિનાથી દેશભરમાં ભૂકંપના આંચકા અનુભવાઈ રહ્યા છે. ત્યારે તાજેતરમાં રાજસ્થાનના બીકાનેરમાં ધરતી કંપન થતાં ફફડાય વ્યાપ્યો છે.
રાજસ્થાનના બીકાનેરમાં ધરતીકંપ
ભૂકંપની તીવ્રતા 4.3 તીવ્રતા નોંધાઈ
સ્થાનિકોમાં ભયનો માહોલ
મળતી જાણકારી પ્રમાણે, રિક્ટર સ્કૅલ પર ભૂકંપની તીવ્રતા 4.3 માપવામાં આવી હતી. અચાનક આવેલા ભૂકંપને પગલે સ્થાનિકોમાં ભયનો માહોલ છવાયો હતો અને લોકો રસ્તા પર દોડી આવ્યા હતા.
An earthquake of magnitude 4.3 occurred today around 6:56 pm in Bikaner, Rajasthan: National Center for Seismology pic.twitter.com/cgWux6LQ1l
ભૂકંપને પગલે કોઈ જાનહાનિના અહેવાલો પ્રાપ્ત થયાં નથી. ઉલ્લેખનીય છે કે, આ પહેલા રાજસ્થાનના ઝાલોરમાં 20 નવેમ્બરે રાતે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જેની તીવ્રતા 4.6 નોંધાઈ હતી. આ આંચકા મધરાતે 2 વાગ્યેની 26 મિનિટે આવ્યા હતા.
— National Center for Seismology (@NCS_Earthquake) December 12, 2021
ભૂંકપના આંચકા આવે ત્યારે શું?
ભૂકંપના ઝટકા જેવા આવે તુરંત વાર કર્યા વગર ઓફિસ કે ઘરની બહાર નિકળી જવું.
વીજળીના થાંભલા, ઝાડ અને ઉંચી ઈમારતથી દૂર ઉભા રહેવુ.
ઘર કે ઓફિસ બહાર જતી વખતે લીફ્ટનો ઉપયોગ ન કરવો, સીડીનો ઉપયોગ કરવો.
ઘર આસપાસ જો મેદાન ન હોય તો એવી જગ્યા શોધો જ્યા છૂપાઈને બેસી શકાય.
ભૂકંપ આવે ત્યારે ખાસ કરીને ઘરમાં રહેલી ભારે વસ્તુથી દૂર રહેવું.
ઘરમાં રહેલા ભારે સામાન અને કાચથી દૂર રહેવુ જેથી વાગવાની શક્યતા ન રહે.
ભાગવાનો સમય ન મળે તો ટેબલ, પલંગ, ડેસ્ક જેવી મજબૂત જગ્યા નીચે ઘૂસી જવું.
દરવાજા હોય ત્યા ન ઉભા રહેવું જેથી દરવાજો ખુલે કે પડે તો વાગે નહીં.
ભૂકંપ કેમ આવે છે ?
આપણે એકદમ સ્થિર ધરતી પર રહેવા ટેવાયેલા હોવાથી, ધરતી ધ્રૂજવા લાગે ત્યારે, મન ગભરાયેલા કબૂતરની જેમ ફફડી ઊઠે છે. ત્યારે ઘણી વખત સવાલ થાય છે આખરે ભૂકંપ કેમ આવે છે? કેટલાંક જાણે છે તો કેટલાંક પાસે અધૂરી માહિતી હોય છે. આવામાં આજના EK Vaat Kau વીડિયોમાં સરળ ભાષામાં સમજો કે આખરે ભૂકંપ કેવી રીતે આવે છે અને તેનું માપન કેવી રીતે થાય છે?