ગીરસોમનાથના તાલાલા અને ગીર પંથકમા ભૂકંપનો આંચકો અનુભવાયો છે. આ ભૂકંપનો આંચકાની તીવ્રતા 3.5 રીકટર સ્કેલ પર નોંધાઇ છે. આ ભૂકંપનું કેન્દ્ર બિંદુ તાલાલાથી 13 કીમી દૂર નોર્થ ઇસ્ટમાં હતું. ભૂકંપના આંચકા બાદ લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.
ભૂકંપનો આંચકો આવતાં લોકો પોતાના ઘરની બહાર દોડી આવ્યા હતો. જો કે હજુ સુધી આ ભૂકંપને લઇને કોઇ નુકસાન થવાના અહેવાલ પ્રાપ્ત થયા નથી. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં વારંવાર ભૂકંપના આંચકા અનુભવાતાં હોય છે.
આ અગાઉ 2 તારીખે કચ્છ જિલ્લામાં વહેલી સવારે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. જેની રિક્ટર સ્કેલ પર 3.1 તીવ્રતા હતી. ભચાઉના દુધઈ પાસે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. જ્યારે 1લી તારીખે વલસાડ અને સંઘ પ્રદેશ દમણમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
વલસાડમાં ઉમરગામ, વાપી, પારડી સહિતના વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. અચાનક ભૂકંપના આંચકા અનુભવાતા લોકો પોતાના ઘરની બહાર નીકળી ગયા હતા. સદનસીબે ભૂકંપમાં કોઈ જાનહાનિના સમાચાર નથી.
આમ કચ્છમાં ફરી એકવાર ભૂકંપનો આંચકો અનુભવાયો છે. કચ્છના ભુજ નજીક આવેલા દુધઈ ગામ પાસે આ ભૂકંપનો આંચકો અનુભવાયો છે. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.3 નોંધાઈ છે.
ત્યારે ભૂકંપ આવતાં જ લોકો પોતાના ઘર બહાર દોડી ગયા હતા. મહત્વનું છે કે કચ્છના ભુજ અને ભચાઉ આસપાસ અવાર નવાર ભૂકંપના આંચકા નોંધાતા હોય છે.