રથયાત્રાના રૂટથી પળેપળેની માહિતી મેળવતા રહ્યા રાજ્યના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા, સમગ્ર રથયાત્રા દરમિયાન રાજ્યના ગૃહમંત્રી ખડેપગે જોવા મળ્યા
ભગવાન જગન્નાથની રથયાત્રા સંપન્ન
ગૃહમંત્રીએ જાતે જ રૂટનું નિરીક્ષણ કર્યું
મંહત દિલીપદાસીજીએ સૌનો આભાર માન્યો
આ વખતે ભારે અસમંજસ બાદ શહેરમાં જગન્નાથ ભગવાનની રથયાત્રા યોજાઈ હતી પહેલા રથયાત્રાને લઈ અનેક તર્ક વિતર્કો થઈ રહ્યા હતા ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ કહ્યું હતું કે કોરોના કાળમાં રથયાત્રા અંગે સંપૂર્ણ સ્થિતિની સમીક્ષા બાદ નિર્ણય લેવાશે તે બાદ રથયાત્રા યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો જો કે શહેરમાં લોખંડી સુરક્ષા બંદોબસ્ત વચ્ચે નગરનાનાથ નગરચર્યાએ નીકળ્યા હતા તે વખતે ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ રથયાત્રા પહેલા રથયાત્રાના રૂટ પર જઈને જાત નિરીક્ષણ કર્યું હતું.
ભગવાન જગન્નાથની રથયાત્રા સંપન્ન
ગુજરાતમાં શાંતિપૂર્ણ રીતે નીકળેલી ભગવાન જગન્નાથની રથયાત્રા સંપન્ન થઈ છે ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળીને નિજમંદર પરત ફર્યા છે અષાઢી બીજના પાવન અવસરે ભગવાન જગન્નાથની 144મી રથયાત્રાની નીકળી તે વખતે રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા પળેપળની માહિતી લેતા નજરે પડ્યા હતા.
ગૃહમંત્રી પોતે રથયાત્રા જે રૂટ પરથી પસાર થવાની હોય તે રૂટ પર અગાઉ પહોંચી જતા અને જાતે જ તે રૂટનું નિરીક્ષણ કરતા હતા. મહત્વનું છે કે કોરોના કાળમાં રથયાત્રા યોજાઈ જેમાં કોવિડના નિયમોનું ચુસ્ત રીતે પાલન કરવામાં આવ્યું હતું.
જો કે મહામારીને લીધે રથયાત્રા નિર્ધારિત સમય કરતા વહેલી પૂર્ણ થઈ હતી જો કે સમગ્ર રથયાત્રા દરમિયાન રાજ્યના ગૃહમંત્રી ખડેપગે જોવા મળ્યા હતા.
રાજ્યના ગૃહમંત્રી રથયાત્રાના રૂટનું નિરીક્ષણ કરતા જોવા મળ્યા
મહત્વનું છે કે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે વહેલી સવારે મંગળા આરતીમાં ભાગ લીધો હતો જે બાદ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પહિંદ વિધિ કરાવી અને રથનું તેમજ ભગવાન જગન્નાથની પૂજા અર્ચના કરી હતી અને બાદમાં રથનું પ્રસ્થાન કરાવ્યું હતું આ સમયે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા પણ આ વિધિમાં ભક્તિભાવ પૂર્વક સહભાગી થયા હતા.
મંદિરના મંહત દિલીપદાસીજીએ આભાર વ્યક્ત કર્યો
રથયાત્રામાં આવતા તમામ રૂટ પરથી પસાર થયા બાદ રથયાત્રા નિજ મંદિર પરત ફરી હતી જે બાદ જગન્નાથમંદિરના મંહત દિલીપદાસજી મહારાજે સૌ કોઈનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું હતું કે આપ સૌના પર ભગવાન જગન્નાથજીના આશિર્વાદ રહે, આજની રથયાત્રામાં આપ સૌએ જે રીતે મદદ કરી તે માટે મંદિર વતી આભાર તો રાજ્યના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ પણ રથયાત્રા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થવા પર લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો.
ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ પણ આભાર માન્યો
પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું કે લોકોને જે અપીલ કરી હતી તે રીતે લોકોએ TV અને દૂરદર્શનના માધ્યથી ઘરે બેઠા જ ભગવાનના દર્શન કર્યા છે તે બદલ આભાર ઉલ્લેખનિય છે કે રથયાત્રા પૂર્ણ થયા બાદ પ્રદિપસિંહ જાડેજાએ જનતા કર્ફ્યૂ પૂર્ણ થવાની જાહેરાત કરી હતી તેમણે જણાવ્યું હતું કે જનતા કર્ફ્યૂ 11.30 કલાકે થશે પૂર્ણ