વાડી વિસ્તારમાં આવેલા ઐતિહાસિક સ્વામિનારાયણ મંદિરની બહાર કોઈ આવારા ઈસમે નોન વેજ ભરેલી થેલી નાખી શાંતિ ડહોળવાનો પ્રયાસ કર્યો હતો
વડોદરામાં ધાર્મિક લાગણી દુભાવવાની ચેષ્ટા
મંદિરના ગેટ પાસે નોન-વેજની થેલી નાખતા રોષ
મંદિરના કોઠારીએ પોલીસ સ્ટેશનમાં અરજી આપી
વડોદરાના વાડી વિસ્તારમાં આવેલ 150 વર્ષ જૂના સ્વામિનારાયણ મંદિરના ગેટ પાસે કોઈ વિધર્મી દ્વારા ધાર્મિક લાગણી દુભાવવાની ચેષ્ટા કરવાની કરતૂત કરવામાં આવી છે.
મંદિરના મુખ્ય દ્વાર પાસે જ કોઈ અજાણ્યા ઈસમે નોન વેજ ભરેલી થેલી નાખી જતા ભક્તોમા રોષની લાગણી ફેલાઈ છે.
ઇંડા, ડુંગળી અને પાંઉ સહિત નોનવેજ વસ્તુઓ ભરેલી થેલી મંદિરના ગેટ બહાર નાખી
મંદિરના કોઠારી ઘનશ્યામ સ્વામીએ વાડી વિસ્તારમાં ઐતિહાસિક સ્વામિનાયારણ મંદિરના ગેટ પર થયેલી આ હરકતની પોલીસને પણ જાણ કરી ફરિયાદ નોંધાવી છે. કોઇ અજાણ્યા વ્યક્તિએ ઇંડા, ડુંગળી અને પાંઉ સહિત નોનવેજ વસ્તુઓ ભરેલી થેલી મંદિરના ગેટ બહાર નાખી હતી. અનેક વાર વિધર્મીઓ દ્વારા થતી આ હરકતથી ભક્તોની લાગણી દુભાઈ છે. અને મંદિરના સંતોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે.
(લઘુમતી સમાજના આગેવાનો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને બનાવને વખોડી કાઢ્યો હતો)
લધુમતી સમુદાયે ઘટનાને વખોડી કડક પગલાં લેવા માંગ કરી
આ મંદિરની આસપાસ હાલમાં લઘુમતિ કોમની વસ્તી છે. પણ મંદિર અને આજુબાજુના તમામ લોકો સાથે સારા સંબંધો છે. આસપાસના લઘુમતિ સમાજના લોકો અને આગેવાનોએ પણ આ ઘટનાને વખોડી કાઢી હતી અને જવાબદાર સામે યોગ્ય પગલાં લેવાની તરફેણ પણ કરી હતી.
અવાર નવાર મંદિર આવી વસ્તુઓ નાખી કોમી વૈમન્સ્ય ફેલાવવાના પ્રયાસ: ઘનશ્યામ સ્વામી, કોઠારી
મંદિરના કોઠારી સ્વામીએ કડક કાર્યવાહી કરવાની માંગ સાથે કહ્યું હતું કે મહિલાઓના મંદિરની બહાર ભગવાનની મૂર્તિ છે ત્યાં લોકો પેશાબ કરે છે. તેટલું જ નહીં મંદિરના ગેટ બહાર અવાર નવાર નોન વેજ નાખવામાં આવે છે. તેમજ નો-પાર્કિંગ ઝોન હોવા છતાં વાહનો પાર્ક કરવામાં આવે છે. દિવાલ પાસે અભદ્ર અનેક વસ્તુઓ નાખવામાં આવે છે. જેથી કોઈ આવારાતત્વોના કારણે કોમી વૈમન્સ્ય ન ફેલાય તે માટે આવા લોકો સામે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરવી જોઈએ.