આરોગ્ય માટે સફરજન ખાવું ખુબ જ જરુરી માનવામાં આવે છે.
એક સફરજન રોજ ખાવાથી ડોક્ટર પાસે જવાની જરુર રહેતી નથી એવું કહેવાય છે. હવે એક નવા અભ્યાસ સાથે જોડાયેલી કેટલીક ચોંકાવનારી વાતો સામે આવી છે. આ અભ્યાસના આધારે સંશોધકોએ દાવો કર્યો છે કે ફાઇબર અને વિટામીન ઉપરાંત એક સફરજનમાં 10 કરોડ બેક્ટેરિયા હોય છે. હવે આ બેક્ટેરિયા હેલ્થ માટે સારા છે કે ખરાબ તે એ વાત પર નિર્ભર કરે છે કે સફરજન કેવી રીતે ઉગાડવામાં આવ્યુ છે.
ફ્રંટિયર્સ ઇન માઇક્રોબાયોલોજી નામની જર્નલમાં પ્રકાશિત કરાયેલા આ અભ્યાસમાં ઓર્ગેનિક સફરજનને સૌથી બહેતર ગણાવાયુ છે. અભ્યાસ મુજબ ઓર્ગેનિક સફરજન વિવિધ અને સંતુલિત જીવાણુ સમુદાયને પોષે છે, જે તેને પારંપારિક સફરજનની તુલનામાં સ્વસ્થ અને સ્વાદિષ્ટ બનાવે છે અને પર્યાવરણ માટે પણ તે બહેતર હોય છે.
ઓસ્ટ્રિયાની ગ્રાજ યુનિવર્સીટીના પ્રોફેસર ગ્રેબિયલ બર્ગ કહે છે કે આ બધા બેક્ટેરિયા જે આપણે ખાઇએ છીએ તે આપણા પેટમાં એકઠા થાય છે. ખોરાકને રાંધવાના લીધે ઘણા બેક્ટેરિયા મરી જાય છે. તેથી કાચા શાકભાજી અને ફળ ગટ માઇક્રોબ્સ(આંતરડાના રોગાણુઓ)નો મહત્ત્વનો સ્ત્રોત છે. તેથી સંશોધકોએ દુનિયાના સૌથી પસંદગીના ફળ સફરજનનું વિશ્લેષણ કર્યુ. તેના આધારે બર્ગ કહે છે કે સફરજનનું ઉત્પાદન સતત વધી રહ્યુ છે, પરંતુ અમારા નવીન અભ્યાસ પરથી જાણ થાય છે કે તેમાં મળી આવતાબેક્ટેરિયાની જાણકારી હજુ ઓછી જ છે.
240 ગ્રામના એક સફરજનમાં 10 કરોડ બેક્ટેરિયા હોય છે. તેમાં મોટાભાગના બેક્ટેરિયા તેના બીજમાં મળી આવે છે. સંશોધકોએ અભ્યાસમાં એ પણ જાણ્યુ કે ઓર્ગેનિક સફરજન ફાયદાકારક હોય છે કેમકે તેમાં ઘણા પ્રકારના સંતુલિત બેક્ટેરિયા હોય છે. પારંપરિક રીતે ઉગાડાતા સફરજન હેલ્થ માટે પણ સારા છે.