ભારત બાયોટેકની કોવાક્સિન અને દેશમાં સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા SII ની કોવિશિલ્ડને કટોકટીના ઉપયોગ માટે મંજૂરી આપવામાં આવી છે. જોકે આ મંજૂરી બાદ બંને કંપનીઓ વચ્ચે વિવાદ વધ્યો હતો. જો કે હવે બંને કંપનીએ મંગળવારે સંયુક્ત નિવેદન જાહેર કરીને કહ્યું છે કે તેમની વચ્ચેના વિવાદનો ઉકેલ લાવ્યો છે. આ નિવેદનો SII ના CEO અદાર પૂનાવાલા અને ભારત બાયોટેકના પ્રમુખ ડો.કૃષ્ણ એલ્લાએ જાહેર કર્યા છે.
ભારત બાયોટેક અને સીરમણા વિવાદનો આવ્યો અંત
બંને કંપનીઓએ બહાર પાડ્યું સંયુકત નિવેદન
કોવિશિલ્ડ અને કોવાકસિનના નિર્માતાઓએ કહ્યું, સાથે મળીને કામ કરીશું
આ સંયુક્ત નિવેદનમાં, બંને કંપનીઓએ કહ્યું, 'અમે જનતા અને અન્ય દેશો માટે રસીના મહત્વથી સંપૂર્ણ રીતે વાકેફ છીએ. અમે અમારી કોવિડ -19 રસીઓને વૈશ્વિક એક્સેસ પ્રદાન કરવાની અમારી સંયુક્ત પ્રતિજ્ઞાની વાત કરીએ છીએ. ' બંને કંપનીઓએ દેશભરમાં કોરોના રસી ને યોગ્ય રીતે પહોંચાડવાના પ્રયત્નોની વાત કરી છે.
બંને સંસ્થા માટે હાલમાં લોકોનું જીવન બચાવવાનું સૌથી મોટું લક્ષ્ય
સંયુક્ત નિવેદનમાં, બંને કંપનીઓએ કહ્યું કે, "આદર પૂનાવાલા અને ડો. કૃષ્ણ ઇલ્લાએ દેશમાં કોરોના રસીનું ઉત્પાદન, સપ્લાય અને વિતરણ કેવી રીતે કરવું તે અંગે ચર્ચા કરી." બંને સંસ્થાઓ માને છે કે આ સમયે ભારત અને વિશ્વના લોકોનું જીવન બચાવવું એ એક મોટું લક્ષ્ય છે.
We are fully aware of the importance of vaccines for people and countries alike, we hereby communicate our joint pledge to provide global access for our COVID-19 vaccines: Joint statement of Serum Institute of India and Bharat Biotech
નિવેદનમાં આગળ કહેવામાં આવ્યું છે કે, "હવે ભારતમાં બે કોરોના રસીઓને કટોકટીના ઉપયોગ માટે મંજૂરી આપવામાં આવી છે, અમારું ધ્યાનરસીનું ઉત્પાદન, સપ્લાય અને વિતરણ કરવાનું છે." આપણી સંસ્થાઓ આ કામ દેશની હિતમાં પહેલાની જેમ જ ચાલુ રાખશે અને આગળ વધશે. બંને કંપનીઓ રસી દેશ અને વિશ્વમાં સાથે લાવવાનું વચન આપે છે.
અદાર પૂનાવાલાએ વિવાદના સમાધાન માટે પહેલ કરી હતી
મહત્વનું છે કે તાજેતરમાં અદાર પૂનાવાલા અને ડો. કૃષ્ણા એલ્લા વચ્ચે વિવાદ વકર્યો હતો જેમાં સીરમના સીઇઓએ કહ્યું હતું કે દુનિયામાં માત્રા ત્રણ જ વેક્સિન ફાઈજર, મોડર્ના અને કોવિશિલ્ડ કોરોના પર અસરકારક પુરવાર થઈ છે જ્યારે કે બાકી બધી સલામત ખરી પણ પાણી જેવી, અને સામે ભારત બાયોટેક તરફથી કહેવામાં આવ્યું હતું કે અમારી વેક્સિન 200 ટકા કારગર છે અને કોવિશિલ્ડના પરીક્ષણમાં વૉલંટિયર્સને પેરાસિટામોલ આપવામાં આવી હતી.
જો કે આ પછી, પૂનાવાલાએ વિવાદના નિરાકરણની પહેલ કરતાં મંગળવારે બપોરે ટ્વીટ કર્યું હતું કે ટૂંક સમયમાં ભારત બાયોટેક સાથેના ગેરસમજોને દૂર કરવા માટે એક સંયુક્ત નિવેદન બહાર પાડવામાં આવશે.