અમદાવાદમાં PM મોદીના રોડ-શૉમાં ઍમ્બ્યુલન્સ આવતા સુરક્ષાકર્મીઓએ તાબડતોબ રસ્તો ખુલ્લો કરી આપ્યો
અમદાવાદમાં PM મોદીના રોડ-શૉમાં આવી ઍમ્બ્યુલન્સ
સુરક્ષાકર્મીઓએ એમ્બ્યુલન્સને જવા માટે રસ્તો ખુલ્લો કરી આપ્યો
અગાઉ પણ PM મોદીએ ઍમ્બ્યુલન્સ માટે કાફલો રોકાવ્યો હતો
વિધાનસભાની ચૂંટણી માટે પ્રથમ તબક્કાનું મતદાન શાંતીપૂર્ણ માહોલમાં સંપન્ન થયું છે. ત્યારે બીજા તબક્કાની વિધાનસભાની બેઠકો પર રાજકીય પક્ષોનો પ્રચાર પણ પૂરજોશમાં ચાલી રહ્યો છે. જેને લઇને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી વાર ગુજરાતના 2 દિવસના પ્રવાસે આવ્યા છે. તેવામાં આજે અમદાવાદમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ભવ્ય રોડનું આયોજન કરવામાં આવ્યું હતું. જે રોડ શૉ દરમિયાન ઍમ્બ્યુલન્સ આવતા સુરક્ષાકર્મીઓએ તાબડતોબ સાઈડ થઈ જઈ અને ઍમ્બ્યુલન્સ માટે માર્ગ ખુલ્લો કરી તેને જવા આપી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો અમદાવાદના નરોડાથી ચાંદખેડા સુધીના વિસ્તારમાં 50 કિમી લાંબો જાજરમાન રોડ શો યોજાઇ રહ્યો હતો જે દરમિયાન દરમિયાન રસ્તામાં એક એમ્બ્યુલન્સ આવી હતી. એમ્બ્યુલન્સને જવા માટે માર્ગ ખુલ્લો કરી અને ત્યાંથી પસાર કરવામાં મદદ કરી હતી. નોંધનીય છે કે, થોડા દિવસ અગાઉ પીએમ મોદી હિમાચલના હમીરપુરમાં રેલીમાં જઈ રહ્યા હતા ત્યારે પણ રસ્તામાં એક એમ્બ્યુલન્સ આવી હતી અને જ્યાં પીએમેએ પ્રોટોકોલ તોડીને તેમના કાફલાને રોક્યા અને એમ્બ્યુલન્સને જવા માટે જગ્યા આપી હતી.
અગાઉ પણ PM સંવેદનશીલતા સામે આવી હતી
પીએમ મોદીની આ સંવેદનશીલતા થોડાક દિવસો પહેલા ગુજરાતમાં પણ જોવા મળી હતી. જ્યારે પીએમને અમદાવાદથી ગાંધીનગર જતા રસ્તે એમ્બ્યુલન્સ દેખાઈ ત્યારે તેમણે તરત જ તેમનો કાફલો રોક્યો હતો. જે PM મોદીની સંવેદનશીલતા અંગે ઘણી બધી ચર્ચાઓ પણ થઈ હતી અને જે વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ પણ થયો હતો.