મહેસાણામાં સરકારી વકીલની પરીક્ષા પાસ કરનાર એડવોકેટે આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી છે. દાહોદથી અજાણ્યા વકીલે ફોન કરીને આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી છે.
પાસ થવા છતા ભરતી ન થતા તેઓ રાજ્યની કોઈ પણ કલેક્ટર કચેરીમાં આત્મવિલોપન કરશે તેવી ચીમકી ઉચ્ચારી છે. જેના કારણે રાજ્યની તમામ કલેક્ટર કચેરી ખાતે ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમ ગોઠવી દેવામાં આવી છે.
આ પરીક્ષાની મેરિટમાં પસંદગી થઈ છે કે નહી તે અંગે અત્યાર સુધી કોઈ સ્પષ્ટતા થઈ નથી. ત્યારે હવે અજાણ્યા શખ્સે ચીમકી આપતા તંત્રમાં દોડધામ મચી છે.