લખતર કડુ કેનાલ પાસે કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં 4 લોકોના મોત નીપજતાં અરેરાટી વ્યાપી ગઈ છે.
લખતરની કડુ કેનાલ પાસે બની દુર્ઘટના
ગમખ્વાર અકસ્માતમાં 4ના મૃત્યુ
કારપલટી જતા ઘટનાસ્થળે 4ના મૃત્યુ
કાર પલટી જતા ત્રણ પુરુષ, એક મહિલાનું મૃત્યુ
સુરેન્દ્રનગરના લખતરની કડુ કેનાલ પાસે કન્ટેનર અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 4ના મોત નીપજ્યા છે. અન્ય વ્યક્તિને ગંભીર ઇજા થતા સારવાર માટે સુરેન્દ્રનગરની એક ખાનગી હોસ્પિટલમાં ખાતે ખસેડવામાં આવ્યા છે. અકસ્માતમાં મૃત્યુ પામનાર માં ત્રણ પુરુષ અને 1 મહિલાનો સમાવેશ થાયછે. જ્યારે અન્ય 2 વ્યક્તિને ગંભીર ઇજા ઘાયલોની હાલત અત્યંત ગંભીર છે.
દેદાદરા ગામે ધાર્મિક પ્રસંગમાં જઈ રહ્યો હતો પરિવાર
આ અંગે પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર, અમદાવાદનો એક પરિવાર દેદાદરા ગામે ધાર્મિક પ્રસંગે આવી રહ્યો હતો, તે દરમિયાન લખતરના કડુ કેનાલ પાસે કાર સાઇડ કાપવા જતાં સામેથી આવતા ટ્રક સાથે કાર ધડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ભયાનક હતો કે, કાર ટ્રક સાથે અથડાયા બાદ પલટી જવા પામી હતી. આ ઘટનામાં 4 લોકોનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જેને લઈને અરેરાટી ફેલાઈ ગઈ હતી. જ્યારે ગંભીર રીતે ઇજાગ્રસ્ત બે વ્યક્તિઓને વધુ સારવાર માટે સુરેન્દ્રનગર હોસ્પિટલ લઇ જવાયા છે. બીજી તરફ પોલીસે અકસ્માત અંગે ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે.