મહીસાગરના કરણપુર પાસે અકસ્માતની ઘટના સામે આવી જેમાં ધાર્મિક સ્થાનેથી પરત ફરતા યાત્રિકોને બસ ચાલકે અડફેટે લીધા હતા, અકસ્માતમાં એક વ્યકિતનું મોત, 12 લોકો થયા ઈજાગ્રસ્ત
અકસ્માતમાં એક વ્યકિતનું મોત, 12 લોકો થયા ઈજાગ્રસ્ત
મહીસાગરના કરણપુર પાસેઅકસ્માતની ઘટના સામે આવી જેમાં એક વ્યક્તનું મોત નિપજ્યું છે જ્યારે 12 લોકોને ઈજા થતા તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે આ પદયાત્રીઓ અંબાજીથી પરત ફરી રહેલા પદયાત્રિકોને લક્ઝરી બસે એડફેટે લીધા હતા, બસે એક ટેક્ટરને અડફેટે લીધુ જેમાં ટલાક યાત્રિકો સવાર હતા જ્યારે કેટલાક પદયાત્રા કરી અંબાજીથી પરત ફરી રહ્યા હતા
અકસ્માતમાં એક વ્યક્તનું ઘટના સ્થળે જ મોત થયું છે જ્યારે 12 જેટલા યાત્રિકોને ઈજા પહોંચતા તેમને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા મહીસાગરની કરણપુર પાસે એક લક્ઝરી બસે યાત્રિકોને સ્થાનિકો પણ મદદ માટે દોડી આવ્યા હતા, સ્થાનિકોએ 108ને જાણ કરતા તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને તમામને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા હતા જ્યારે સમગ્ર મામલે પોલીસને જાણ કરતા પોસીસ દ્વારા પણ ખાનગી બસ ચાલક સામે આગળની કાર્યવાહી હાથ ધરી હતી
ચોમાસામાં રોડ રસ્તાની હાલ કથડી રહી છે ત્યારે અનેક વાર રોડ પર ભૂવાનો પડવાની ઘટના પણ સામે આવતી હોય છે તો કેટલીક વાર રોડ રસ્તા ભીના હોવાના કારણે રોડ પર ઓઈલ જેવી પદાર્થોને લીધે રોડ પર વાહનો પણ સ્લીપ ખાઈ જતા હોય છે ત્યારે અકસ્માતની ઘટનાઓ સર્જાતી હોય છે.
અકસ્માતમાં એક વ્યકિતનું મોત, 12 લોકો થયા ઈજાગ્રસ્ત
કેટાલાક એવા પણ કિસ્સા સામે આવતા જેમાં ખાનગી વાહન ચાલકો, કે મોટા વાહન ચાલકો બેફાન બનીને વાહનો રોડ પર હંકારતા હોય છે એવામાં અકસ્માતનો ખતરો વધી જતો હોય છે ત્યારે મહીસાગરના કરણપુર ખાતે અકસ્માતની ઘટના સામે આવી છે જેમાં અંબાજીથી પરત ફરતા યાત્રિકોને અકસ્માત નડતા એક યાત્રિકનું મોત નિપજ્યું છે જ્યારે 12 લોકો ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.