રાજકોટના ગોંડલ પાસે કાર અને ST બસ વચ્ચે અકસ્માત સર્જાતા 5 લોકોના મોત, પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી
રાજકોટમાં અક્સમાતની ઘટના
ગોંડલ પાસે અકસ્માતમાં 5 લોકોના મોત
કાર અને ST બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત
રાજકોટના ગોંડલ પાસે ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં કાર અને ST બસ વચ્ચે અકસ્માત સર્જાતા ઘટના સ્થળે જ પાંચ લોકોના મોત નિપજ્યા છે. અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફિકજામની દ્રશ્યો સર્જાતા છે. ઘટનાની જાણ થતા સ્થાનિક પોલીસનો કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો છે...
અકસ્માતમાં હાલ પાંચ લોકોના મોત થયા હોવાની જાણકારી મળી છે. જો કે મુત્યુંઆંક વધી શકે છે. ઘટનાની જાણ 108ને પણ કરાતા 108ની ગાડીઓ ઘટના સ્થળે આવી પહોંચી છે અને ઘાયલોને પ્રાથમિક સારવાર આપી તેમને વધુ સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
રાજકોટમાં અકસ્માતમાં 5 લોકોના મોત
રાજ્યમાં અકસ્માતની ઘટનામાં વધારો થયો છે...અનેક વાર અકસ્માતના બનાવો સામે આવતા હોય છે ત્યારે વધુ એક ઘટના સામે આવી છે.. જેમાં કાર અને એસટી બસ વચ્ચે અકસ્માત સર્જાતા.. પાંચ લોકોના મોત નિપજ્યા છે.. જો કે પોલીસ તમામ મૃતકોને પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.. મૃતકોના પરિવારને ઘટનાની જાણ કરાતા પરિવારમાં હૈયાફાટ રુદન સાથે ધભકારા વધી ગયા છે,, જે લોકોના અકસ્માતમાં મોત નિપજ્યું છે..તેઓનાપરિવારમાં મોતનો મામત અને શોકનો માહોલ છવાઈ ગયો છે..