પંજાબના મોહાલીમાં 88 વર્ષના વૃદ્ધની કિસ્મત અચાનક બદલાઈ ગઈ. લગભગ 35-40 વર્ષથી લોટરી ટિકિટ ખરીદી રહેલા શખ્સને 5 કરોડ રૂપિયાની લોટરી લાગી. વૃદ્ધે જણાવ્યું કે હવે તે આ પૈસાને પોતાની પત્ની અને બાળકોની વચ્ચે બરાબર વહેંચી દેશે.
88 વર્ષના વૃદ્ધની કિસ્મત ચમકી
લાગી 5 કરોડ રૂપિયાની લોટરી
હવે બાળકો અને પત્નીને આપશે પૈસા
પંજાબના મોહાલીમાં 88 વર્ષના એક વૃદ્ધની કિસ્મત અચાનક બદલાઈ ગઈ અને તેને 5 કરોડ રૂપિયાની લોટરી લાગી છે. જે સાંભળીને તેમના ખુશીનો પાર નથી રહ્યો. આ ઘટના મોહાલીના ડેરાબસ્સીનો છે જ્યાં ત્રિવેદી કેમ્પ ગાંમમાં રહેતા મંદિરના મહંત દ્વારકા દાસ 5 કરોડ રૂપિયાની લોટરી જીતી ગયા. લોટરીમાં 5 કરોડ રૂપિયા જીત્યા બાદ દ્વારકા દાસના પરિવારમાં ઉત્સાહનો માહોલ છે. પરિવારના લોકોએ વૃદ્ધને ફૂલોની માળા પહેરાવી તેનું સેલિબ્રેશન કર્યું.
વૃદ્ધે ખરીદી હતી લોટરી ટિકિટ
લોટરીની આ ટિકિટ મહંત દ્વારકા દાસે પોતાના દાદાના નામ પર જીરકપુરથી ખરીદી હતી. લોકેશ કુમાર નામના આ શખ્સે જણાવ્યું કે જીરકપુર-પંચકૂલા રોડ પર તેમની લોટરીની દુકાન છે. મહંતના પૌત્ર નિખિલ શર્મા લોહડીના મોકા પર સ્ટોર પર આવ્યા અને મકર સંક્રાંતિની બમ્પર ટિકિટ ખરીદી લઈ ગયા.
તેમણે કહ્યું કે સંયોના કારણે તેમના દાદા આ લોટરીને જીતી ગયા અને સીધા કરોડપતિ બની ગયા. મહત્વનું છે કે મહંતના દિકરા નરેન્દ્ર કુમાર એક ઓટો ચાલક છે. લોટરી જીત્યા બાદ તેમના ઘરમાં શુભકામનાઓ આપનાર લોકોની ભીડ જામી ગઈ.
શું કરશે આટલા પૈસાનું?
લોટરીમાં 5 કરોડ રૂપિયા જીત્યા બાદ મહંત દ્વારકા દાસે કહ્યું મને ખુશી થઈ રહી છે. જ્યારે તેમને પુછવામાં આવ્યું કે તમે કરોડપતિ બની ચુક્યા છો તેના જવાબમાં તેમણે કહ્યું કે ભગવાન બધાને કરોડપતિ બનાવે. તેમણે કહ્યું કે લગભગ 35-40 વર્ષથી લોટરી ટિકિટ ખરીદી રહ્યા હતા પરંતુ હવે તેમનું નસીબ ચમક્યુ છે.
જ્યારે તેમને પુછવામાં આવ્યું કે તે લોટરીમાં મળેલા પૈસાનું શું કરશે તો તેના જવાબમાં તેમણે જણાવ્યું કે તે આ ઉંમરમાં પૈસાનું શું કરશે. તેમના બે બાળકો અને પત્ની છે ત્રણેયમાં પૈસા વહેચી દેશે.