કોરોના વાયરસના ભારતમાં પ્રેવશ બાદ ભારતીય લોકો આયુર્વેદ તરફ વળ્યા હતા. જે કામ મોંઘી દવાઓ ન કરી શકી તે આયુર્વેદે કરી બતાવ્યું. દાદીમાના નુસ્ખા ભણેલા લોકો પણ અપનાવવા લાગ્યા અને કોરનાને મ્હાત આપવા તૈયાર થઇ ગયા. અમુલ પણ આ મામલે પાછળ નથી તેણે પણ હળદર ફ્લેવરનો આઇસ્ક્રિમ બહાર પાડ્યો છે. તે સાથે જ મરી, ખજૂર અને મધ ફ્લેવરના આઇસક્રિમ પણ બહાર પાડ્યા છે.
કોરોનામાં હળદર ફ્લેવર આઇસક્રીમ
અમૂલે કરશે આદુ ફ્લેવર આઇસક્રીમ લોન્ચ
આયુર્વેદ તરફ વળી દુનિયા
અમૂલના મેનેજીંગ ડિરેક્ટર આર. એસ. સોઢીએ જણાવ્યું કે, સદીઓથી આયુર્વેદ જેવી પરંપરાગત પધ્ધતિઓ દ્વારા હળદરનો તંદુરસ્તી વધારવા માટે તાજા અને સૂકા મસાલા પાવડર તરીકે ઉપયોગ કરવામાં આવે છે. દૂધ પહેલાથી જ શક્તિવર્ધક છે. અમે આ બંનેના મિક્સ કરીને દુનિયાનો સૌથી પહેલો હળદરના સ્વાદનો આઈસક્રીમ લોન્ચ કર્યો છે. હલ્દી આઈસક્રીમને ઉત્તર અને પશ્ચિમ ભારતના દૈનિક 5 લાખ પેકની ક્ષમતા ધરાવતા અદ્યતન ઉત્પાદન એકમમાં પેક કરવામાં આવ્યો છે.
આદુ ફ્લેવર પણ કરશે લોન્ચ
હલ્દી ફ્લેવરનો આ આઇસક્રીમ 125મિલી 40 રૂપિયામાં મળે છે. કોરોનાને હરાવવા અમૂલે જે પગલુ ભર્યુ છે તેને આગળ ધપાવવા માટે હળદર બાદ મરી, આદુ અને તુલસીને મિક્સ કરીને સ્વાસ્થવર્ધક આઇસક્રીમ લોન્ચ કરે તેવી શક્યતાઓ છે. તે ઉપરાંત અમૂલ દ્વારા 200 mlના કેનમાં સ્ટાર અનીસ દૂધ પણ રજૂ કરવામાં આવશે. દેશભરના ગ્રાહકોને રેડી ટુ ડ્રીન્ક વિકલ્પો પૂરાં પાડવા માટે અમૂલે રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરે તેવા પીણાંની રેન્જ તરીકે અમૂલ હલ્દી દૂધ, અમૂલ તુલસી દૂધ, અમૂલ જીંજર દૂધ અને અમૂલ અશ્વગંધા દૂધ રજૂ કરેલ છે.
કોરોના વાયરસના દેશમાં રોજ હજારોની સંખ્યામાં કેસ વધી રહ્યાં છે. કોરોના એક એવી બિમારી છે કે જેને હરાવવી થોડી મુશ્કેલ છે, તેની સામે તમે જેટલા લડશો તેટલા જ જીવશો. ચીનથી શરૂ થયેલ આ રોગ જોતજોતામાં જ મહામારીમાં ફેરવાઇ ગયો છે. ઇટલી, અમેરિકા, બ્રાઝીલ બાદ હવે ભારતમાં સૌથી વધુ સંક્રમણ ફેલાયુ છે.