આણંદમાં અમૂલ દ્વારા પશુપાલકોને ચૂકવવામાં આવતા રૂપિયા મામલે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. અમૂલે પશુપાલકોને રોકડ રૂપિયા ચૂકવવાનું બંધ કરવાની જાહેરાર કરી છે. હવેથી પશુપાલકોને બેક અથવા પોસ્ટઓફિસના ખાતામાં રૂપિયા ચૂકવવામાં આવશે.
અમૂલ દ્વારા અત્યાર સુધી પશુપાલકોને દૂધના નાણાં દર 5 દિવસે રોકડ નાણાં ચૂકવવામાં આવતા હતા. જ્યારે હવે પશુ પાલકોને 5 દિવસ નહી, પરંતુ 10 દિવસમાં ખાતામાં રૂપિયા જમા કરવામાં આવશે. આ અંગે દૂધમંડળીઓને અમૂલ દ્વારા પરિપત્ર આપવામાં આવ્યો છે.
દૂધમંડળીઓને આપવામાં આવેલ પરિપત્ર મુજબ, 1 સપ્ટેમ્બરથી આ નવો નિયમ લાગૂ થશે. અમૂલ દ્વારા TDS બચાવવા માટે આ નવો કાયદો લાગૂ કરવામાં આવ્યો છે. અમૂલના આ નિર્ણયથી પશુપાલકોને હાલાકી થઈ શકે છે. પણ રોકડને બદલે ડાયરેક ખાતામાં આવવાથી ચોક્કથી નાનીમોટી ગરબડ થતી બંધ થઇ જશે.