કુપવાડા: જમ્મૂ-કાશ્મીરના કુપવાડા વિસ્તારના હંદવાડામાં આતંકીઓ અને સુરક્ષા બળોની વચ્ચે થયેલી અથડામણમાં આતંકી મન્નાન વાની માર્યો ગયો છે. સેનાએ એક બીજા આતંકીનો પણ ઠાર કરી દીધો છે. એનકાઉન્ટર દરમિયાન 500 સ્થાનિક લોકો જમા થઇ ગયા. હાલ મળતી માહિતી અનુસાર હવે ઘટનાસ્થળ પર બંને તરફથી ફાયરિંગ રોકાઇ ગઇ છે પોલિસ અને સુરક્ષાબલ આસપાસના વિસ્તારોમાં સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા છે.
વિસ્તારમાં ઇન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે. અથડામણના કારણે વિસ્તારની સ્કૂલ કોલેજો પણ આજે બંધ છે. જણાવી દઇએ કે આ વર્ષે એવા સમાચાર મળ્યા હતા કે અલીગઢ મુસ્લિમ યૂનિવર્સિટીથી જિયોલજીમાં પીએસડી કરી રહેલા કાશ્મીરી વિદ્યાર્થી મન્નાન વાનીનનો હથિયાર સાથે ફોટો સામે આવ્યો હતો. ત્યારબાદથી એનું હિઝબુલ મુઝાહિદીનમાં સામેલ હોવાની આશંરકા વ્યક્ત કરવામાં આવી રહી હતી. મન્નાન વાની 3 જાન્યુઆરીથી ગુમ હતો. મન્નાનો ફોટો સામે આવ્યા બાદ યૂનિવર્સિટી પ્રશાસનને મન્નાનને નિલંબિત કરી દીધો હતો.
Kupwara: Encounter underway between terrorists and security forces in Handwara's Shartgund Bala. Two to three terrorists believed to be trapped. Internet services suspended in the area. #JammuAndKashmir
નોંધનીય છે કે જમ્મૂ-કાશ્મીરમાં ચૂંટણી વચ્ચે સેનાને મોટું ઇનપુટ મળ્યું હતું કે આશરે 300 આતંકવાદી કાશ્મીર ઘાટીમાં સક્રિય છે. જ્યારે 250 થી વધારે આતંકવાદી ભારતમાં ઘૂંસણખોરી કરવાની ફિરાકમાં છે.