ખરેખર તો JNNURM હેઠળ કુલ 621 બસની માલિકી એએમટીએસ (અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ)પાસે હોવી જોઇએ, તેના બદલે માત્ર 131 બસની માલિકી હોઇ બાકીની 490 બસ ભંગારમાં ગઇ કે વર્કશોપમાં રિેપેરિંગની રાહ જુએ છે તેવા અનેક પ્રશ્ન ઊઠતાં આ બાબત ભારે વિવાદાસ્પદ બની છે.
સ્ક્રેપ કૌભાંડ આચર્યો હોવાની ચર્ચા
700માંથી માત્ર 85થી 90 બસ જ હાલ બચી
બાકીની બસો ક્યાં ગાયબ થઈ ગઈ
શહેરીજનોમાં AMTSની એક સમયે ભારે પ્રતિષ્ઠા હતી, જોકે AMTSના સત્તાધીશો અને વહીવટીતંત્રની અણઆવડતથી આ સંસ્થા આર્થિક રીતે પાયમાલ થઇ ગઇ છે. રોજ રોડ પર મુકાતી 700 જેટલી બસ પૈકી સંસ્થાની માલિકીની માત્ર 85-90 બસ રોડ પર દોડે છે. ખરેખર તો JNNURM હેઠળ કુલ 621 બસની માલિકી એએમટીએસ પાસે હોવી જોઇએ, તેના બદલે માત્ર 131 બસની માલિકી હોઇ બાકીની 490 બસ ભંગારમાં ગઇ કે વર્કશોપમાં રિેપેરિંગની રાહ જુએ છે તેવા અનેક પ્રશ્ન ઊઠતાં આ બાબત ભારે વિવાદાસ્પદ બની છે.
તાજેતરમાં AMTSમાં ખાનગી ઓપરેટરની બસના ડ્રાઇવર-કંડકટરની મિલીભગતથી પેસેન્જર પાસેથી ટિકિટના પૈસા લઇ ટિકિટ ન આપવાના કૌભાંડનો પર્દાફાશ થયો હતો. તંત્રની ફલાઇંગ સ્કવોડના ચેકિંગ દરમ્યાન આ ગોરખધંધો બહાર આવ્યો હતો, જોકે આજે પણ આવી મોડસ એપરેન્ડીથી સંસ્થાને આર્થિક ખોટના ખાડામાં ધકેલનાર લેભાગુ સ્ટાફ હોવાની ચર્ચા છે.
જોકે આ વિવાદોની વચ્ચે સંસ્થાની માલિકીની બસનો નવો વિવાદ ઊઠ્યો છે.
દરિયાપુરના સિનિયર કોર્પોરેટર સુરેન્દ્ર બક્ષી કહે છે, JNNURM હેઠળ
2010-11માં 94 બસ,
2011-12 માં 332 બસ,
2012-13માં 23 બસ અને
2014-15માં 97 બસ મળી
કુલ 546 બસ સોંપાઇ હતી.
વધુ 75 બસ મળી
આ ઉપરાંત 31મી ડિસેમ્બર 2016ના રોજ રાજ્ય સરકારે સ્માર્ટ સિટી અંતર્ગત 75 મિનીબસની ફાળવણી તંત્રને કરી હતી. આમ, તંત્ર પાસે કુલ 621 બસ માલિકીની હોવી જોઇએ. આજની તારીખમાં 150થી 175બસ વર્કશોપમાં ભંગાર હાલતમાં પડી રહી છે. એએમટીએસની આવી હાલત વહીવટી અણઆવડતનો ઉમદો પુરાવો છે.
સ્ક્રેપ કૌભાંડ
બીજી તરફ ચાલુ સ્થિતિની બસ પણ સ્ક્રેપમાં જતાં એએમટીએસનાં વર્તુળોમાં સ્ક્રેપ કૌભાંડની ચર્ચા ઊઠી છે. આ અંગે એએમટીએસના ચેરમેન અતુલ ભાવસારને પૂછતાં તેઓ કહે છે, કોઇ સ્ક્રેપ કૌભાંડ થયું નથી, પરંતુ બસની લાઇફ અને તેના કિલોમીટરની મર્યાદા પૂર્ણ થવાથી તેને સ્ક્રેપ કરાઇ હતી.