અમરેલીના સાસંદ નારણ કાછડયિા કોરોના સંક્રમિત થયા છે. આ અંગે તેમણે ખુદ સોશિયલ મીડિયામાં જાણ કરી હતી. પરંતુ ગઈખાલે જ પોતે INS વિરાટની વિદાયના કાર્યક્રમમાં હાજરી આપી હતી અને આ કાર્યક્રમમાં તે માસ્ક વગર સૌને મળ્યા હતા.
નારણ કાછડિયા કોરોના સંક્રમિત
INS વિરાટ શીપના કાર્યક્રમમાં હાજર હતા
માસ્ક વગર શીપ પર કાર્યકરો સાથે હતા
અમરેલીના સાંસદ નારણ કાછડિયાને કોરોના પોઝિટિવ આવ્યો છે. સોશિયલ મીડિયામાં મેસેજ દ્વારા આ અંગે જાણકારી આપી છે. ગઈકાલે INS વિરાટ શીપના કાર્યક્રમમાં હાજર હતા. કાછડિયા અલંગમાં કાર્યક્રમમાં સ્ટેજ પર બેઠા હતા એટલું જ નહીં. માસ્ક વગર શીપ પર કાર્યકરો સાથે ફોટો પડાવ્યા હતા
સોશિયલ મીડિયામાં કરી જાણ
આજ રોજ મારો કોવિડ (કોરોના) ટેસ્ટ પોઝીટીવ આવેલ હોય, જેથી મારા સંપર્કમાં આવેલ તમામ લોકોને સેલ્ફ આઇસોલેટ થવા અને ટેસ્ટ કરાવવા અનુરોધ કરું છું.
INS વિરાટની વિદાય વખચે મંચ પર નારણ કાછડિયા માસ્ક ઉતારીનેબેઠા હતા એટલું જ નહીં પરંતુ તેમની સાથે ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા અને કેન્દ્રયિ કક્ષના મંત્રી મનસુખ માંડવિયા પણ માસ્ક ઉતારીને બેઠા હતા.