અમૃતસરમાં રાવણ દહન દરમિયાન 60 લોકોનાં મોત થયા છે. ત્યારે આ કાર્યક્રમના આયોજક સૌરભ મદાન મિટ્ટુનો એક વીડિયો અને CCTV સામે આવ્યા છે.
આ વીડિયો દુર્ઘટના બાદનો છે જેમાં આયોજક પોતાના ઘરેથી કારમાં ફરાર થતો નજરે પડે છે. રાવણ દહન કાર્યક્રમનું આયોજન કરનારા કોંગ્રેસના નેતા સૌરભ મદાન મિટ્ટુ દુર્ઘટના બાદ ફરાર થયો છે અને હજુ પણ ફરાર છે.
ત્યારે આ વીડિયો બહાર આવતા અનેક સવાલો પણ ઊભા થયા છે. ઉલ્લેખનીય છે કે રાવણ દહનનો કાર્યક્રમ જોઈ રહેલા સ્થાનિકો પર ટ્રેન ફરી વળી અને લોકો ગાજર મૂળાની જેમ કાપાયા જેમાં 60 લોકો કાળનો કોળિયો બન્યા છે.