નવી દિલ્હીઃ પંજાબના અમૃતસરમાં ટ્રેનની મોટી દુર્ઘટના સર્જાઈ છે જેમાં 50થી વધુ લોકોના મોતની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. ટ્રેન પઠાણકોટથી અમૃતસર આવી રહી હતી. મળતી માહિતી પ્રમાણે જ્યારે અમૃતસરની જોડા ફાટક પાસે દશેરાની ઉજવણી કરવામાં આવી રહી હતી.
આ દરમિયાન મોટી સંખ્યામાં લોકો રાવણ દહન જોવા માટે રેલવે ટ્રેક પર આવી પહોંચ્યા હતા. પરંતુ અચાનક પઠાણ કોટ તરફથી પૂરપાટ સ્પીડે ટ્રેન આવી ગઈ. જે લોકોને પોતાની ઝપેટમાં લેતી ગઈ.
આ ટ્રેન અકસ્માતમાં 50થી વધુ લોકોનાં મોત થયાં છે. આ અકસ્માતમાં અનેક લોકો ઘાયલ પણ થયાં છે. જેમને સારવારઅર્થે હોસ્પિલ ખસેડવામાં આવ્યા છે. અકસ્માતનો એક વીડિયો પણ સામે આવ્યો છે.
We will do everything possible to assist the injured. Have directed the district administration to leave no stone unturned to ensure the best possible treatment for them. pic.twitter.com/90ddA1XeZQ
જેમાં સ્પષ્ટ પણે જોઈ શકાય છે કે ચૌટા બજાર નજીક લોકો રેલવે ટ્રેક પર ઉભા રહીને રાવણ દહન જોઈ રહ્યા છે. તેવામાં એક ટ્રેન પૂરપાટ ઝડપે અનેક લોકોને અડફેટે લેતા પસાર થઈ જાય છે. ટ્રેનની સ્પીડ એટલી હતી કે લોકો કાંઈ સમજે તે પહેલા જ ટ્રેન તેમને અડફેટે લેતા પસાર થઈ ગઈ.
Extremely saddened by the train accident in Amritsar. The tragedy is heart-wrenching. My deepest condolences to the families of those who lost their loved ones and I pray that the injured recover quickly. Have asked officials to provide immediate assistance that is required.
જોકે ઘટના સ્થળે મોટી સંખ્યામાં પોલીસ કાફલો પણ ખડકી દેવામાં આવ્યો છે. દુર્ઘટનાને લઈને લોકોમાં ભારે રોષ પણ જોવા મળી રહ્યો છે.
Rushing to Amritsar to personally supervise relief & rescue in tragic rail accident on Dussehra in Amritsar. My govt will give Rs 5 lakh to kin of each deceased & free treatment to injured in govt & pvt hospitals. District authorities have been mobilised on war footing.
જોકે દૂર્ઘટનાને લઈને પંજાબના મુખ્યમંત્રી અમરિંદરસિંહે દૂ:ખ વ્યક્ત કર્યું છે. સાથે જ તમામ મૃતકોના પરિવારજનોને 5-5 લાખના વળતરની જાહેરાત કરી છે. આ તરફ પ્રધાનમંત્રી મોદીએ પણ અકસ્માતને લઈને દૂ:ખ વ્યક્ત કર્યું છે.