નવી દિલ્હીઃ દશેરાના દિવસે થયેલ અમૃતસરમાં ટ્રેન દુર્ઘટના બાદ આરોપો સહી રહેલ પંજાબ સરકારના મંત્રી નવજોત સિદ્ધુએ સોમવારે એક પ્રેસ કોન્ફરન્સમાં એલાન કર્યું છે કે જે બાળકો અનાથ થયા છે તેમની જવાબદારી તેઓ ઉઠાવશે. સિદ્ધુએ આજીવન તેમના પરિવારનો ખર્ચ ઉઠાવવાની પણ વાત કરી છે જે પરિવારોમાં હવે કોઇ કમાણી કરનાર નથી બચ્યું.
સિદ્ધુએ કહ્યું કે તેમણે જીવનમાં એક વચન આપ્યું હતું કે ગુરૂની ધરતી અમૃતસરથી તેઓ ચૂંટણી લડશે અને આજે બીજો વાયદો કરવા જઇ રહ્યા છે કે હવે અનાથ થયેલ પરિવારોનું પાલન તેઓ કરશે.
સિદ્ધુએ કહ્યું કે રેલવેને તપાસ કરવાની નહીં ક્લિનચીત આપવાની ઉતાવળ હતી. તેમની સાથે પ્રેસ કોન્ફરન્સમાં હાજર પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ સુનીલ જાખડે આરોપ લગાવ્યો કે રેલવે પુરાવાઓ નષ્ટ કરી દીધા છે.
તેમણે સવાલ ઉઠાવતા કહ્યું કે જોડા ફાટકથી 200 મીટર દૂર દશેરા મનાવાઇ રહ્યા હતા આ ગેટમેનને કેમ નહોતું દેખાઇ રહ્યું? 10 મિનીટ પહેલા ત્યાંથી નીકળેલી એક ટ્રેન ધીમી ગતીથી નિકળી શકે છે તો બીજી કેમ નહીં? ડ્રાઇવરને શું ઉતાવળ હતી? તેઓ આટલી સ્પીડથી કેમ ભાગી રહ્યા હતા? ઇમરજન્સી બ્રેક કઇ રીતે લગાવવામાં આવી કે ટ્રેન ઉભી ન રહી?