દિલ્હી: અમૃતસર ટ્રેન દુર્ઘટના બાદ મુખ્યમંત્રી અમરિંદર સિંહ ઘટનાના 15 કલાક બાદ અમૃતસર પહોંચ્યા. જ્યાં તેઓએ એરપોર્ટ પર ખાસ બેઠક યોજી અને બાદમાં ઈજાગ્રસ્તોની પણ મુલાકાત લીધી. બાદમાં તેઓએ મીડિયાને સંબોધન કરતા કહ્યું કે હું ઈઝરાયલ જઈ રહ્યો હતો ત્યારે આ દુર્ઘટનાની માહિતી મળી. આ સમય તૂ તૂ મેં મેં કરવાનો નથી.
We are ordering a magisterial inquiry into the incident under the police commissioner who will submit a report in 4 weeks: Punjab CM Captain Amarinder Singh #AmritsarTrainAccidentpic.twitter.com/vy9DSD4Pso
આ એક મોટી દુર્ઘટના છે અને તેનું ભારોભાર દુઃખ પણ છે. પીડિત પરિવાર સાથે મારી સંવેદનાઓ છે. દેશ પણ પીડિત પરિવાર સાથે છે. આ દુર્ઘટનાની મેજીસ્ટ્રેટ તપાસ થશે. ચાર અઠવાડિયામાં તપાસ રિપોર્ટ પણ માંગવામાં આવી છે. મોટાભાગના મૃતદેહોની ઓળખ પણ થઈ ચૂકી છે અને 9 મૃતદેહોની ઓળખ થવાની બાકી છે.
ઉલ્લેખનીય છે કે આ ઘટનાથી આખો દેશ સ્તબ્ધ થઇ ગયો છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદથી લઇને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સહિત કેટલાય રાજ્યોના મુખ્યપ્રધાન અને મંત્રીઓએ દુ:ખ વ્યક્ત કર્યું હતું. તો આ સાથે જ પંજાબના રેલ રાજ્યમંત્રી મનોજ સિન્હા પણ ગત રાતથી જ ઘટના સ્થળે પહોંચ્યા હતા.