ખાલિસ્તાન સમર્થક અમૃતપાલ સિંહ અને તેના નજીકના લોકો વિરુદ્ધ કાર્યવાહી ચાલી રહી છે. આ દરમિયાન પંજાબ સરકારે હાઈકોર્ટને જણાવ્યું છે કે સિંહ વિરુદ્ધ રાષ્ટ્રીય સુરક્ષા કાયદો (NSA) લાગુ કરવામાં આવ્યો છે.
અમૃતપાલ સિંહ વિરુદ્ધ પંજાબ સરકારે NSA લગાવ્યો
અમૃતપાલ સિંહ 18 માર્ચથી ફરાર
પોલીસે અત્યાર સુધીમાં 100 થી વધુ લોકોની ધરપકડ કરી
પંજાબમાં ખાલિસ્તાન સમર્થક અમૃતપાલ સિંહ અને તેના નજીકના લોકો વિરુદ્ધ કાર્યવાહી ચાલી રહી છે. આ દરમિયાન પંજાબ સરકારે હાઈકોર્ટને જણાવ્યું છે કે સિંહ વિરુદ્ધ રાષ્ટ્રીય સુરક્ષા કાયદો (NSA) લાગુ કરવામાં આવ્યો છે. આ અંગે વકીલે માહિતી આપી છે. આ પહેલા પંજાબ-હરિયાણા હાઈકોર્ટે અમૃતપાલ સિંહ કેસમાં રાજ્ય સરકારને ફટકાર લગાવી હતી. ઓપરેશન અમૃતપાલની નિષ્ફળતા પર નારાજગી વ્યક્ત કરતા હાઈકોર્ટે પૂછ્યું કે પંજાબ પોલીસના 80,000 જવાનો શું કરી રહ્યા છે ? અત્યાર સુધી અમૃતપાલ સિંહ ફરાર કેમ ફરાર છે ? આ પંજાબ પોલીસની ગુપ્તચર નિષ્ફળતા છે. ગુપ્તચર તંત્ર સંપૂર્ણપણે નિષ્ફળ ગયું છે.
અમૃતપાલ સિંહ 18 માર્ચથી ફરાર
અમૃતસર પોલીસે અમૃતપાલ સિંહ સામે બિનજામીનપાત્ર વોરંટ કાઢ્યું છે. અમૃતપાલ સિંહ 18 માર્ચથી ફરાર છે. તમને જણાવી દઈએ કે શનિવારે (18 માર્ચ) પંજાબ પોલીસે અમૃતપાલ સિંહ અને તેમના સંગઠન વારિસ પંજાબ દે વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી હતી. પોલીસે તેનો ઘણા કિલોમીટર સુધી પીછો કર્યો, જોકે તે ભાગવામાં સફળ રહ્યો.
પોલીસે અત્યાર સુધીમાં 100 થી વધુ લોકોની ધરપકડ કરી
મળતી માહિતી મુજબ અત્યાર સુધીમાં 100 થી વધારે ખાલિસ્તાની સમર્થકોની ધરપકડ કરવામાં આવી છે. આ દરમિયાન મોટી માત્રામાં હથિયારો જપ્ત કરવામાં આવ્યા છે. કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પંજાબ સરકારે ઇન્ટરનેટ પર પ્રતિબંધ મૂક્યો હતો. જે મંગળવારે પુનઃસ્થાપિત કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીનું નિવેદન મુખ્યમંત્રી ભગવંત માને કહ્યું કે પંજાબની શાંતિ અને સૌહાર્દ અને દેશની પ્રગતિ અમારી પ્રાથમિકતા છે. અમે દેશ વિરૂદ્ધ કામ કરનાર કોઈપણ બળને છોડીશું નહીં. માનએ જણાવ્યું હતું કે, જે કોઈ પણ સંવાદિતાને ખલેલ પહોંચાડવાનો પ્રયાસ કરશે તેની સામે કડક પગલાં લેવામાં આવશે. એક પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું કે સંસ્થા સાથે સંકળાયેલા પાંચ વ્યક્તિઓ સામે રાષ્ટ્રીય સુરક્ષા કાયદા અંતર્ગત કાર્યવાહી કરવામાં આવી રહી છે.