આર્મીનાં ચાર હજાર જેટલા માણસોનો કાફલો યુદ્ધ અભ્યાસ માટે આવી રહ્યા હતા. ત્યારે મનીષ મહેતા ટેન્કરમાં પાણીની ચકાસણી કરવા ગયો હતો અને ઉપરથી પસાર થતી વીજ લાઈનને અડકી જતા વીજ કરંટ લાગતા તેનું મોત નિપજ્યું હતું. ત્યારે આજે વીર શહીદ મનીષ મહેતાના પાર્થિવ દેહને તેના વતન લાવવામાં આવ્યો હતો.
અમરેલીવાસીઓએ અંતિમ યાત્રામાં જોડાયા
અમરેલી શહેરના માર્ગો પરથી વીર શહીદની અંતિમ યાત્રા નીકળી હતી. વીર શહીદ મનીષ મહેતાનો પાર્થિવ દેહ તેના માદરે વતન અમરેલી પહોંચતા મોટી સંખ્યામાં લોકો તેને શ્રદ્ધાંજલી આપવા ઉમટી પડ્યા હતા. વીર શહીદ મનીષ મહેતાના પરિજનોએ વંદે માતરમના નારા સાથે શ્રદ્ધાંજલી અર્પી હતી.
રાજકીય નેતાઓએ શહીદને શ્રદ્ધાંજલી અર્પી
વીર શહીદને શ્રદ્ધાંજલી આપવા માટે અમરેલી વાસીઓ સહિત રાજકીય નેતાઓ પણ અમરેલી પહોચ્યા હતા. ત્યારે સહકારી નેતા દિલીપ સંઘાણી, ધારાસભ્ય કૌશિક વેકરીયા સહિતના રાજકીય નેતાઓએ શહીદને શ્રદ્ધાંજલી પાઠવી હતી.