અમરેલીમાં તાંત્રિક વિધિના નામે ખેડૂત સાથે લાખોની છેતરપિડીં કરાઇ છે. અમરેલીમાં પીઠડીયા ગામના ખેડૂત પાસેથી 24.80 લાખની છેતરપિંડી કરાઇ છે. 5 વ્યક્તિઓએ ખેડૂતને અંધશ્રદ્ધાના જાળમાં ફસાવી અને 24.80 લાખ પડાવી લીધા. જેમા પોલીસે તમામની ધરપકડ કરી અને 15.68 લાખનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે.
વિધિના બહાને કટકે-કટકે કરી રોકડ રૂપિયા 9 લાખ અને સોનાના દાગીના પડાવ્યા
જમીન મેલી છે તેમ કહીને જમીન વેચાવી
પોલીસે સ્પેશ્યિયલ ટીમ રચી ઠગને પકડી પાડ્યા
ખેડૂત જયંતીભાઇ ઘરમા સુખશાંતિ ન રહેવાના કારણે અને પત્ની માનસિર રીતે અસ્વસ્થ હોવાના કારણે પરેશાન હતા. ત્યારે 3 જેટલા શખ્સો તેમની પાસે આવ્યા અને કહ્યું કે અમે કચ્છથી પરીક્રમા માટે જૂનાગઢ જઇ રહ્યા છીએ. અને આરોપીઓએ જયંતીભાઇને કહ્યું કે તારા ઘરમાંથી સંકટ દૂર થશે અને પત્ની પણ સાજા થઇ જશે. આરોપીઓએ કહ્યું કે તમારા જમીનમાં કોઇ મેલું છે અને વિધિ કરાવી પડશે. ત્યારે વિધિના નામે આરોપીઓએ ધીરી ધીરે કરી 24.80 લાખ રૂપિયા પડાવી લીધા. આરોપીઓએ પહેલા 9 લાખ અને 80 હજારના સોનાના દાગીના પડાવ્યા. ત્યાર બાદ જમીનમાં મેલું કહી જમીન વેચાવી દીધઈ અને 15 લાખ સિદ્ધ કરવાનું કહી પૈસા પડાવી લીધા.
શું છે મામલો?
હું તારુ સંકટ દૂર કરીશ તેવું કહીને તાંત્રિક વિધિના નામે બગસરાના પીઠડીયા ગામના ખેડૂત પાસેથી 24.80 લાખની છેતરપિંડી અને વિશ્વાસઘાત કરતી 5 વ્યક્તિઓની ઠગ ટોળકીને અમરેલી એલ.સી.બીએ ઝડપી પાડી છે અને 15.68 લાખનો મુદામાલ પણ ઝડપી પાડ્યો છે ત્યારે કોણ હતા આ સંકટ મોચક ઠગ બાજો અને કઈ રીતે લોકોને ફસાવતા હતા અંધશ્રદ્ધાની માયાજાળમાં જુઓ આ રિપોર્ટમાં.
પત્નીના માટે હાથ મૂકીને આશીર્વાદ આપી ઘરમાંથી સંકટ દૂર થશે તેવા આર્શિવાદ આપ્યા
અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના પીઠડીયા ગામના ભોગ બનાનાર એક ખેડૂત જયંતીભાઈ વશરામભાઇ પીપળીયાના ઘરમાં સુખ શાંતિ રહેતી ન હોવાથી તેમજ તેમના પત્નીને માનસિક રીતે બીમાર રહેવાતા હોવાથી પરેશાન હતા તેવામાં દસેક માસ પહેલા તેઓના ઘરે ત્રણ જેટલા અજાણ્યા ઈસમોએ કેસરી કલરના ભાગવા વસ્ત્રો પહેરીને આવેલા જેમાંથી એક વ્યક્તિએ તેનું નામ વઘાસીયા બાપુ કહીને કચ્છથી પરિક્રમા માટે ચાલીને જૂનાગઢ જઈ રહ્યા છે તેમ કહીને જયંતીભાઈ તેમજ તેમના પત્નીના માટે હાથ મૂકીને આશીર્વાદ આપી ઘરમાંથી સંકટ દૂર થશે અને પત્ની બીમારી પણ દૂર થશે તેવા આશીર્વાદ આપ્યા હતા.
વિધિના બહાને કટકે-કટકે કરી રોકડ રૂપિયા 9 લાખ અને સોનાના દાગીના પડાવ્યા
આ ઠગ બાવાઓએ કહ્યું હતુ કે, તારા માથે દેણું ખુબ વધ્યું છે અને તમારી જમીનમાં કાંઈક મેલું છે તે માટે પરિવારના સુખ માટે માતાજીની વિધિ કરવી પડશે તેવું જણાવી વિશ્વાસમાં લઈને કાવતરું રચી વિધિ કરવાના બહાને ચોટીલા ખાતે બોલાવી અવાવરું જગ્યા પર વિઘી કરવા માટે વઘાસીયા બાપુ તેમજ તેના ગુરુ સહીત એક છોકરો વિધિ વખતે જમીન પર પડી ગયેલ અને વિધિ અવળી થઇ તેવું કહીને અલગ-અલગ જગ્યા પર બોલાવી ધાર્મિક વિધિના બહાને કટકે-કટકે કરી રોકડ રૂપિયા 9 લાખ તથા સોનાના દાગીનાઓ જેની કિંમત 80 હજાર સહીત કુલ 9 લાખ 80 હાજર પડાવ્યા હતા.
જમીન મેલી છે તેમ કહીને જમીન વેચાવી
આટલેથી ન અટકતા જમીન મેલી છે તેમ કહીને જમીન વેચાવી જમીનના આવેલા 15 લાખ સિદ્ધ કરવાનું કહીને કુવાડવા ગામ નજીક આવેલા ખોડિયાર માતાજીના મંદિર પાસે બોલાવી ખેડૂતને વિશ્વાસમાં લઈને પૈસા પડાવ્યા હતા. જેથી કુલ મળીને રૂપિયા 24.80 લાખ ખેડૂત પાસેથી પડાવી ઠગ બાજોની ગેંગે પડાવ્યા હતા. આ અંગે બગસરામાં પોલીસ સ્ટેશનમાં ખેડૂતએ ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી શરુ કરી હતી.
પોલીસે સ્પેશ્યિયલ ટીમ રચી ઠગને પકડી પાડ્યા
આ ઘાટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને રેન્જ આઈ.જી અશોક કુમાર યાદવના દ્વારા ટીમની રચના કરવા આદેશ આપવામાં આવ્યા હતા જેના અનુસંધાને અમરેલીના એલ.સી.બીની ટિમ પણ આ ગુન્હાને લઈને આરોપીઓની તપાસ શરુ કરી દીધી હતી જે અનુસંધાને આજરોજ અમરેલીના ચિતલ રદ પર આવેલ સોસાયટીમાંથી અંધશ્રદ્ધા ફેલાવી રૂપિયા પડાવવાના હેતુથી આંટાફેરા મારતા 5 આરોપીઓને પકડી તેમની પાસેથી ફરિયાદીના રોકડ રૂપિયા 7,85,500 તથા ઘરેણા કી.રૂ.4,83,480 તેમજ ગુન્હો કરવા માટે ઉપયોગમાં લેવાયેલ ઇકો ફોરવહીલ કાર કી.રૂ 3,00,000 સહિતનો કુલ 15,68,980નો મુદામાલ પોલીસે કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
આ આરોપીઓ લોકોને અંધશ્રદ્ધાના નામે લોકોને ઠગવાનું કામ કરી રહ્યા છે ત્યારે લોકોએ પણ ચેતીને રહેવું જોઈએ તેવી અપીલ પોલીસ કરી રહી છે ત્યારે આવા ઠગબાજો લોકોને અંધશ્રદ્ધાનો શ્રદ્ધાધામાં ફસાવી લોકોને પાસેથી પૈસા પડાવી રહ્યા છે. તેવામાં આ કિસ્સો લોકો માટે એક શીખ લેવા જેવૂં પણ બની ચુક્યો છે.