અમરેલી SP નિર્લિપ્ત રાયની બદલીની ખોટી અફવા ફેલાઈ છે. લુવારા પ્રકરણમાં બદલીની સોશિયલ મીડિયામાં અફવા ફેલાવાઇ છે.
અમરેલી SPની બદલી થયાની ખોટી અફવા
નિર્લિપ્ત રાયની બદલીની ખોટી અફવા ફેલાઈ
અમરેલી પોલીસ અધિકારીએ વાતનું કર્યુ ખંડન
અમરેલી SP નિર્લિપ્ત રાયની બદલીની વાતનું અમરેલી પોલીસ અધિકારીએ ખંડન કર્યું છે. સોશિયલ મીડિયામાં ચર્ચા ચાલી રહી છે કે નિર્લિપ્ત રાયની બદલી બરોડા રેલવેમાં કરાઇ છે. ત્યારે પોલીસ અધિકારીએ બદલીની વાતો માત્ર અફવા હોવાનું કહ્યું છે. હાલ લુવારા પ્રકરણમાં CID ક્રાઈમની તપાસ ચાલી રહી છે.
થોડા દિવસ અગાઉ કાઠી સમાજના અમરેલી SPની કાર્યવાહી પર રોષ હતો
26 જાન્યુઆરીએ ગુજસીટોકનો આરોપી અશોક બોરીચાને પકડવા માટે અમરેલી SP નિર્લિપ્ત રાયની ટીમ LCB,SOG પોલીસ ટીમો સાવરકુંડલાના લુવારા ગામે પહોંચી હતી. અહીં રેડ દરમિયાન કુખ્યાત અશોક બોરીચાની પોલીસે ધરપકડ કરી હતી. તે સમયે પોલીસ અધિકારી દ્વારા ફાયરિંગ કરતા આ દ્રશ્યો મોબાઈલમાં હેમુબેન દિનેશભાઈ ખાચરે કેદ કર્યા હતા. ત્યારબાદ મહિલા પોલીસ કર્મી વગર હેમુબેનની ધરપકડ કરી ગુનો નોંધ્યો હતો. હેમુબેન સાથે અશોભનીય વર્તન થયાનો આક્ષેપ પોલીસ ઉપર કરાયો હતો. જ્યારબાદ કાઠી સમાજમાં અમરેલી SPની મહિલા વિરૂદ્ધ કાર્યવાહીથી રોષ ફાટી નીકળ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે જૂન 2018માં નિર્લિપ્ત રાયને અમરેલીના SP તરીકે ચાર્જ સોંપાયો હતો. IBમાં SP તરીકે તેઓ ફરજ બજાવતા હતા. જોકે જગદિશ પટેલની બિટકોઇન કેસમાં ધરપકડ બાદ અમરેલીની જગ્યા ખાલી હતી. તે જગ્યા પર નિર્લિપ્ત રાજયને જવાબદારી સોંપાઇ હતી.