અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનના તમામ કર્મચારીઓની બદલી કરવામાં આવી છે.એક સાથે 50 જેટલા પોલીસ કર્મચારીઓની બદલીથી જિલ્લા પોલીસમાં સોંપો
અમરેલી જીલ્લામાં પોલીસકર્મીઓની બદલી
જિલ્લા પોલીસ વડા નિર્લિપ્ત રાયનો સપાટો
લચર કામગીરી અને આક્ષેપો કારણભૂત
અમરેલી પંથકના કેટલાક કથિત દાગી પોલીસ કર્મીઓની સાગમટે બદલીઓ થતા સોંપો પડી ગયો છે. જિલ્લા પોલીસ વડા નિર્લિપ્ત રાયે, કેટલાક કર્મીઓ વિરુદ્ધ થી રહેલા આક્ષેપો અને વિભાગીય કામગીરીમાં લચર કામગીરીના કારણે પોલીસ બેડામાં ફેર બદલ કર્યા છે. કેટલાક કર્મીઓ પર અરજદારના પણ આક્ષેપો હોવાથી આ બદલીઓ કરાઈ હોવાનું માનવામાં આવે છે.
અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનના સંખ્યાબંધ પોલીસ કર્મીઓની બદલી કરતા જિલ્લા પોલીસ વડા નિર્લિપ્ત રાયે સપાટો બોલાવી દીધો છે. અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનના તમામ કર્મચારીઓની બદલી કરવામાં આવી છે.એક સાથે 50 જેટલા પોલીસ કર્મચારીઓની બદલીથી જિલ્લા પોલીસમાં સોંપો પડી ગયો છે. કેટલાક પોલીસ કર્મચારીઓ ઉપર અરજદારોના આક્ષેપો હોવાના કારણે આ બદલીઓ થઇ હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ તમામ પોલીસ કર્મીઓની હેડક્વાર્ટર અને જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં બદલી કરવામાં આવી છે