ગીર સોમનાથમાં અચાનક વાતાવરણમાં પલટાયુ હતું. ગીર ગઢડા સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડયા હતાં. વાજડી ઘોકડવા તુલસીશ્યામ સહિતના વિસ્તારમાં વરસાદ થયો હતો. અચાનક વાતાવરણમાં બદલાવવાથી કેરીના પાકને નુકશાનનો ભય સેવાઇ રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે એક તરફ રાજ્યમાં 45 ડિગ્રીથી વધુ તાપમાન છે અને કાળઝાળ બફારો પણ છે ત્યારે આજરોજ સૌરાષ્ટ્ર પંથકના ગીર સોમનાથ ખાતે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ગીર પંથકના કેટલાક તાલુકાઓમાં વરસાદના ઝાપટા પડ્યા હતા.
ત્યારે અસહ્ય ગરમી વચ્ચે આજે રાજ્યના કેટલાક પ્રદેશના વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો હતો અને ઠંડક પ્રસરી વળતા સ્થાનિક લોકોએ કાળઝાળ ગરમી વચ્ચે રાહતનો શ્વાસ લીધો હતો.જો કે અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવતા ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા.
ઉનાળાના દિવસો અંતિમ ચરણમાં છે તેમછતાં ગરમીનું જોર યથાવત છે ત્યારે પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે અને હવે ઝડપથી વરસાદ પડે તેની રાહ જોઇ રહ્યા છે ત્યારે આજરોજ અમદાવાદ ખાતે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. અને લોકોને કામ સિવાય ઘરની બહાર નહીં નિકળવા માટે પણ જણાવવામાં આવ્યું હતું. આ સાથે પાણીનો વધારેમાં વધારે ઉપયોગ પણ કરવા જણાવવામાં આવ્યું હતું.