અમરેલીમાં જાફરાબાદના લોકો પીવાના પાણી માટે વલખા મારી રહ્યા છે ગામલોકો વરસાદથી ભરેલા નાળામાંથી પીવાનું પાણી ભરવા મજબૂર બન્યા
અમરેલીમાં જાફરાબાદના લોકો પીવાના પાણી માટે વલખા મારી રહ્યા છે, જાફરાબાદમાં કડીયાળીના ગ્રામજનો ખાડામાંથી પીવાનું પાણી ભરવા મજબૂર બન્યા છે. વાવાઝોડા બાદ પાણીની કોઈ વૌકલ્પિક વ્યવસ્થા ન હોવાથી લોકો વરસદાના પાણીથી ભરેલા ખાડામાં પાણી ભરતા ગ્રામજનોમાં દ્રશ્યો સામે આવ્યા છે. આ દ્રશ્યો તંત્રની ઉદાસીનતાની ચાડી ખાતા જોવા મળી રહી છે.
પાણી માટે વલખાં મારતા લોકો
પાણી માટે લોકો પરબો બંધાવે તેવી કહેવાત છે પરંતું હવે પાણી માટે વલખાં મારતા લોકો જોવા મળી રહ્યા છે. અમેરેલીના જાફરાબાદના કડીયાળી ગામે લોકોને પાણીને લઈને તંગી સર્જાતા લોકો હવે નાળામાંથી પાણી ભરવા મજબૂર બન્યા છે, વરસાદના પાણીથી ભરાયેલા નાળામાંથી લોકો પાણી ભરતા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે.
નાળામાંથી ભરી રહ્યા છે પીવાનું પાણી
વાવાઝોડા બાદ અનેક ગામોમાં વીજ પૂરવઠો ખોરવાયો છે અને વીજ પૂરવઠો ખોરવાતા ગામોમાં પાણી પહોંચાડી શકાતું નથી. પરતું વીજળીના અભાવે પાણી માટે વલખા મારવા પડે તે કેટલું યોગ્ય છે ? સ્થાનિકો તંત્ર દ્વારા ગામ લોકો માટે કોઈ પાણીના ટેન્કરની વ્યવસ્થા સુધ્ધા પણ કરવામાં આવી નથી, તંત્ર પાસે સ્થાનિકો ચોખ્ખા પાણીની માંગ કરી રહ્યા છે પરંતું તંત્ર દ્રારા આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે ગામમાં પીવામાના પાણી માટે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા ન કરાતા લોકોને નાળામાંથી પીવાનું પાણી ભરવું પડી રહ્યું છે, એટલું જ નહી ગ્રામજનો છકડો રીક્ષા મારફતે પાણી ભરવા આવે છે અને તે પાણી ભરી ઘર વપરાસમાં ઉપયોગ લેતા હોય છે.