અમરેલીમાં વરસાદી વાતારણને હોવાના કારણે સિંહો રસ્તા પર આવ્યા છે. જંગલમાં મચ્છરનો ત્રાસ હોવાના કારણે સિંહો રોડ પર આવ્યા છે. મહત્વનું છે કે અમરેલીમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે મચ્છરો વધ્યા છે. ત્યારે હવે જંગલના વિસ્તારમાં મચ્છર હોવાના કારણે ખાંભા ગીરના પીળવાછી ભણિયા જંગલમાંથી સિંહો બહાર આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે રાજ્યમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઇ ચૂકી છે અને ખાસ કરીને ગીર-સોમનાથ જિલ્લામાં વરસાદનો પ્રકોપ જોવા મળ્યો છે. વરસાદ વધારે પ્રમાણમાં જોવા મળતા મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે. મચ્છરોના ત્રાસથી કંટાળીને ખાંભા ગીરના જંગલોમાં રહેલા સિંહો આજરોજ રસ્તા પર જોવા મળતા લોકોના ટોળા ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા.
આપને જણાવી દઇએ કે આ પહેલા પણ અનેકવાર સિંહ રસ્તા પર જોવા મળ્યા હોય તેવા અનેક બનાવો બન્યા છે પરંતુ મચ્છરથી કંટાળીને રોડ પર ઉતરી આવેલ સાવજોને જોવા લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. આ નજારો કેટલાક લોકોએ પોતાના મોબાઇલમાં પણ કંડારી લીધો હતો.
ઉલ્લેખનીય છે કે તો આ તરફ અમરેલી માટે જીવાદોરી સમાન ઠેબી ડેમમાં એકજ રાતમાં 25 ફૂટ પાણીની આવક થઈ છે. ડેમમાં પાણીની આવક થતાં એક વર્ષ માટે પીવાના પાણીની સમસ્યાનું નિરાકરણ થશે. તો ભાજપના દિલીપ સંઘાણી સાથે કાર્યકરોએ ઠેબી ડેમમાં નવા નીરના વધામણા કર્યા હતા.