અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાના ગોઢાવદર ગામના એક પ્રગતિશીલ ખેડૂતે કેન્સર જેવા રોગ સામે લડી શકે તેવા પર્પલ જાંબલી કલર ના ઓર્ગેનિક ઘઉં નું વાવેતર કરતા આ જાંબલી ઘઉં ને જુવા લોકો દોડી આવ્યા છે. ખાસ કરી આ ઘઉં ની વિશેષતા જોઈએ તો ફાયબર અને ન્યુટ્રીસીન ના ગુણધર્મો થી ભરપુર આ ઘઉં તે કેન્સર સામે ફાયદા કારક છે.
અમરેલીના પ્રગતિશિલ ખેડૂતની કહાની, વસાવી ઘઉંની નવી જાત
પર્પલ જાંબલી કલરના ઘઉં, ખેડૂતે ઘઉંને લઈ કર્યો દાવો
"કેન્સર સામે રક્ષણ આપતા ઘઉં", નિષ્ણાંતોનો શું છે મત ?
ખરેખર કેન્સરથી બચાવે છે આ ઘઉં ?
પોતાની કોઠાસુઝથી અને ઓર્ગેનિક પદ્ધતિથી ઘઉંનું વાવેતર કર્યું છે.આ ઘઉં હાલ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. ગૌ મૂત્ર બેસન દેશી ગોળ છાશ જેવા દ્રવ્યો નો ઉપયોગ કરી હાલ આ ખેડૂતે 3000 ના મણ ની કિંમત માં ખેતર માં ઉગેલા ઘઉં જ ખેડૂતે વેચી નાખ્યા છે અને ઓર્ગેનિક ખેતી થી લાખો નો ફાયદો હાલ ખેડૂતે મેળવ્યો છે
સંપૂર્ણ ઓર્ગેનિક પદ્ધતિથી ઘઉંનું ઉત્પાદન લેવામાં આવે છે
લીલિયા તાલુકાનું ગોઢાવદર ગામ અહીં રહેતા ભરતભાઈ નારોલા નામના પ્રગતિશીલ ખેડૂતે ઓર્ગેનિક પદ્ધતિથી ઘઉંનું વાવેતર કર્યું છે. ભરતભાઈ નારોલાએ 50 વીઘામાં ચાર જાતના ઘઉં વાવેતર કર્યું છે. આ ઘઉંમાં મુખ્ય આકર્ષણ નું કેન્દ્ર પર્પલ જાંબલી કલર ના ઘઉં છે તે સિવાય ટુકડા, બંસી લોકવન ઘઉંનું વાવેતર કર્યું છે. ઘઉં જોવા લોકો દુર દુરથી આવે છે. આ ઘઉંના ઉત્પાદનમાં કોઈપણ જાતના રાસાયણિક ખાતરનો ઉપયોગ કરવામાં આવતો નથી સંપૂર્ણ ઓર્ગેનિક પદ્ધતિથી ઘઉંનું ઉત્પાદન લેવામાં આવે છે.
ગાયનું છાણ, છાશ ગોળ અને ગૌમૂત્રનો ઉપયોગ કરીને જીવામૃત બનાવાય છે
ભરતભાઈ નારોલા જે રીતે ઘઉંનું વાવેતર કર્યું છે તે જોવા આજુબાજુના ખેડૂતો પણ આવે છે ઘઉંનું વાવેતર ઓર્ગેનિક કરવામાં આવ્યું છે. જેની જાણકારી પણ આસપાસના ખેડૂતો લેવા આવી રહ્યા છે. ખાસ પદ્ધતિથી ઓર્ગેનિક લિક્વિડ બનાવીને પાણી સાથે ઉમેરીને ઘઉંને આપવામાં આવે છે. આ લીક્વીડમાં ગાયનું છાણ, છાશ ગોળ અને ગૌમૂત્રનો ઉપયોગ કરીને જીવામૃત બનાવીને ઘઉંના છોડને આપવામાં આવે છે.આસપાસના ખેડૂતો પણ ભરતભાઇ નારોલાની આ ઓર્ગેનિક પદ્ધતિથી ખેતી કરવાની પ્રેરણા લઈને ખેતી શરૂ કરી છે.
પર્પલ કલરના ઘઉં રૂપિયા 3000ના મણ વેચાય છે
ગોઢાવદર ગામના ભરતભાઇ નારોલાની ઓર્ગેનિક પદ્ધતિથી જે ઘઉંનું વાવેતર કર્યું છે.તે ઘઉંનું બુકીંગ અગાઉથીજ થઈ જાય છે. ટુકડા ઘઉં 700 રૂપિયે મણ વહેંચાય છે.બંસી ઘઉં 1200 રૂપિયે મણ વહેંચાય છે. જ્યારે પર્પલ કલરના ઘઉં રૂપિયા 3000ના મણ વેચાય છે. આ ઘઉંનું બુકીંગ અગાઉથીજ થઈ જાય છે.
અન્ય ખેડૂતો પણ આ ખેતી કરવા પ્રેરાઈ રહ્યા
ભરતભાઈ નારોલા છેલ્લા ચાર વર્ષથી ઓર્ગેનિક ખેતી કરી રહ્યા છે. ભરત ભાઈ નારોલા પોતાના ખેતરમાં ચાર મોટા ટાકા બનાવ્યા છે. જેમાં એક ટાકામાં 1000 લીટર પાણી છે. આ પાણીની અંદર ગાયનું છાણ, ગૌમૂત્ર,છાશ,ગોળનું જીવામૃત બનાવ્યું છે. આના લીધે ઘઉંનો પાક ખુબજ સારો થાય છે.અને ઘઉં નો ખુબ ઉંચો ભાવ મળી રહે છે ત્યારે એપીએમસીમાં હાલ સારા ઘઉં 409 માં વેચાઈ રહ્યા છે ત્યારે આ ખેડૂત ને ઉભોપાક જ સારામાં સારી કીમતે વેચાઈ જતા હાલ અન્ય ખેડૂતો પણ આ ખેતી કરવા પ્રેરાઈ રહ્યા છે.
આ ઘઉં ખૂબ જ પૌષ્ટિક છે આ ઘઉંમાં પ્રોટીન ભરપૂર છે
લીલીયા તાલુકાના ગોઢાવદર ગામના પ્રગતિશીલ ખેડૂતે પોતાની કોઠાસુઝથી પર્પલ કલરના ઘઉંનું ઉત્પાદન કર્યું છે આ ઘઉં ખૂબ જ પૌષ્ટિક છે આ ઘઉંમાં પ્રોટીન ભરપૂર છે તેમજ આ ઘઉં સ્વાસ્થ્ય માટે ખુબજ ફાયદાકારક છે.