જાફરાબાદ તાલુકાના ખેડૂતો કમાલ કરી છે અહીં દરિયા કિનારા નજીક આવેલ પોતાની વાડી ને પ્રવીણભાઈ સાંખટ નામના ખેડૂતે ખરપાટ વિસ્તાર ને ફળદ્રુપ ઉપજાઉ બનાવી દીધો છે પોતાના ક્ષેત્રમાં ખૂબ જ વેસ્ટ જતું વરસાદી પાણી તળાવ સ્વરૂપે ફેરવી આખું વર્ષ ખેતી કરશે જે ખેતી પણ વરસાદી પાણી હોવાને લીધે ખૂબ સમૃદ્ધ બનશે.
એક વિઘામાં 30 ફૂટ ઊંડું તળાવ બનાવ્યું
આખું વર્ષ આ મીઠા વરસાદી પાણીથી ખેતી કરે છે
આ વરસાદનું જ પીવામાં ઉપયોગ કરે છે
જળ સિંચાઇ શેત્રે નાનકડા ગામ વડલી ના ખેડૂતે ની અદભુત કામગીરી કરી છે દરિયા નજીક ના ખારા પાટ વિસ્તાર ને મીઠો બનાવી દીધો છૅ પોતાના ખેતર માં એક વિધા માં 30 ફૂટ ઊંડું તળાવ બનાવી વરસાદી પાણી થિ ભરી લીધું આખું વર્ષ આમીઠા વરસાદી પાણીથી ખેતી કરશે વરસાદી પાણી હોવાથી ખેતી માં ભરપુર ફાયદો થશે અને માત્ર બે કિમિ દૂર દરિયો હોવા છતાં આ ખારી જમીન વરસાદી પાણી ન સંગ્રહ ના કારણે મીઠી બની ચુકી છે અને ચો તરફ હરિયાળી ક્રાંતિ આ ખેડૂતે સર્જી દીધી છે પોતાના ઘર નું પાણી પણ આ ખેડૂત આખું વર્ષ વરસાદ નું જ પીવા માં ઉપયોગ કરે છે વરસાદ નું એક ટીપું પણ વ્યર્થ નથી જવા દીધું અને વરસતા વરસાદ ના પાણી નો સંગ્રહ કરી આખું વર્ષ પાણી નો ઉપયોગ પીવા પણ કરી રહ્યા છે જોઈએ આ સ્પે. સ્ટોરી માં..
પ્રવિણભાઈ નાના એવા જાફરાબાદ તાલુકાના વડલીથી પાંચ કિમિ દૂર માં રહે છે અને પોતાની બાપદાદાની છે જમીન માં ખેતી કરે છે અહીં અમને પાણીની સમસ્યા ખૂબ હોવાથી અને પોતાના ખેતરમાં વરસાદી પાણીનો ભરાવો થતો હોવાથી પ્રવીણભાઈ ખેતરમાં પડતું વરસાદી પાણી અને તળાવમાં વાળવાનો પ્રયત્ન કર્યો અને તેમાં તેઓ સક્સેસ થયા.
શું કહે છે પ્રવીણભાઈ
પોતાના ખેતરમાં અલગ-અલગ ભુંગળા ગોઠવી 1 વીઘાના ખેતરમાં 30 ફૂટ ઊંડા તળાવની રચના કરી. આ તળાવમાં જ કર્યો અને ગોઠવણ કરી હતી ખેતરમાં પડતું વરસાદનું તમામ પાણી આ તળાવમાં આવે છે આ વરસાદે એક વીઘાનુ તળાવ 30 ફૂટ ઊંડું છે તે આખું છલોછલ વરસાદી પાણીથી છલકાઈ જતાં તેમાં નીચેનો કૂવો રિચાર્જ થઇ ગયો છે અને આપણે એક વીઘા તળાવથી તળાવના પાણીથી પ્રવીણભાઈ આખુ વર્ષ આ વરસાદના પાણીનો ઉપયોગ કરશે જેથી પાક પણ ખૂબ સારો આવશે જાફરાબાદ પંથકમાં ખાસ કરી મગફળી તલ કપાસ બાજરીનું વાવેતર પુષ્કળ પ્રમાણમાં થાય છે અહીં દરિયો એકદમ નજીક હોવાથી આ વિસ્તાર એકદમ ખારાપાટ સમો છે અને અહીં પીવાલાયક પાણી પણ ખારું આવતું હોવાથી પ્રવીણભાઈ આ મહેનત રંગ લાવી છે અને આ વિસ્તાર એકદમ ફળદ્રુપ થઈ જવા પામ્યો છે અહીં ખેતી પણ સોનાની થશે જેથી પ્રવીણભાઈ મગફળી અને કપાસનું વાવેતર કરશે જેને ઉપર ખૂબ સારી આવશે પ્રવીણભાઈ જણાવ્યું હતું
આ પ્રગતિ શીલ ખેડૂતે વરસાદી પાણી ને રોકી ને ખેતી તો સમૃદ્ધ કરી છે પરંતુ પોતાના ઘર પર વરસતા વરસાદી પાણી ને પણ તેમને રોકી એક મોટા ટાંકા માં નાખી આખું વર્ષ એ પાણી નો પીવા માં ઉપયોગ કરે છે ઇઝરાયલ ટાઈપ ની પદ્ધતિ થિ વરસાદ નું પાણી રોકી પૂરું વર્ષ આ પાણી નો પીવા માં ઉપયોગ કરી રહ્યા છે જેને જોવા આસપાસ ના અનેક ખેડૂતો આવી રહ્યા છે અને આ વરસાદી પાની ને ખેતર માં કેમ ઉપયોગ કરવો અને પીવા માનકેમ ઉપયોગ કરવો તે જુવા જાણવા અહીં રોજ બરોજ આવે છે