અમરેલીના ખાંભાના ભૂંડણી ગામે અજગરે સ્વાનનો શિકાર કર્યો હતો. ગ્રામજનોએ જાણ કરતા વનવિભાગ ઘટનાસ્થળે પહોચ્યુ હતું. શ્વાન ગળેલા અજગરનું કર્યું વનવિભાગે રેસ્ક્યુ ઓપરેશન કર્યુ હતું. એક કલાકની જહેમત બાદ અજગરે શ્વાનને બહાર કાઢાવામાં આવ્યુ હતું.
આ ઘટના મામલે મળતી જાણકારી અનુસાર અમરેલી જિલ્લાના ખાંભાના ભૂંડણી સિમ વિસ્તારમાં વાડી ધરાવતા નરોતમભાઈ પટેલની વાડી નજીક ગત મોડીરાત્રીના એક મહાકાય અજગર આવી પહોંચ્યો હતો. અજગર ખુબ જ ભૂખ્યો હોવાથી પોતાના પેટની આગ બૂઝાવવા તડપી રહ્યો હતો ત્યારે જ અજગરની તેજ નજરમાં એક કુતરું ચડી ગયું.
જો કે કુતરું કંઈ સમજે તે પેહલા જ અજગરે કુતરાને દબોચી લીધું હતું. કુતરાએ પોતાને બચાવવા માટે તરફડીયા મારવા છતાં તે પોતાને બચાવી શક્યું નહોતી. ત્યાં માત્ર 10 જ મિનિટમાં આ અજગર કૂતરાને આખે આખું ગળી ગયો અને પોતાના પેટમાં લાગેલી ભૂખને ઠારી હતી.