રાજકોટઃ છેલ્લા ઘણા સમયથી ST બસની અનેક ચિત્ર-વિચિત્ર દુર્ઘટનાઓ બનતી જોવા મળી છે. ત્યારે અમરેલીમાં ST બસ દુકાનમાં ઘુસી ગઈ હતી. અમરેલી-જાત્રુડા રૂટની બસ અચાનક પાનની દુકાનમાં ઘુસી ગઈ હતી.
મળતી માહિતી મુજબ શહેરના સ્ટેશન રોડ પર ST બસ પસાર થઈ રહી હતી. ત્યારે અચાનક બસ પાનની દુકાનમાં પ્રવેશી હતી. બસ સહિત દુકાનના આગળના ભાગમાં નૂકશાન થયું હતું. જો કે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. આ ઘટના બનવા પાછળનુ કારણ ડ્રાઈવરે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હોવાની વાત જાણવા મળી છે.
ઉલ્લેખનીય છે કે થોડા દિવસ અગાઉ પણ દાહોદથી બસ અમદાવાદ લઇ જવાને બદલે ડાકોર પહોંચાડી હતી. ST ડ્રાઇવર પીધેલી હાલતમાં હોવાને લઇને બસ ડાકોર લઇ ગયો હતો.