સમગ્ર દેશમાં મોટર વ્હીકલ એક્ટ(એક્ટ) લાગૂ કરવામાં આવ્યો છે. ત્યારે ગુજરાતમાં પણ કેટલાક ફેરફારો કરીને આ નિયમો લાગૂ કરવામાં આવશે. અમરેલી જિલ્લાના ભાજપ નાનપીઢ આગેવાન અને પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા ટ્રાફિકના કાયદાની ટ્વિટ કરીને ઝાટકણી કાઢી હતી.
ભાજપના નેતા ભરત કાનાબારની સરકારને ટકોર
પહેલા પુરતી સુવિધા પુરી પાડો
ગામડાઓ સુધી સરકારી બસો પહોંચાડો
રાજ્યમાં સોમવારથી ટ્રાફિકના સુધારાયેલ કાયદાની અમલવારી થવા જઈ રહી છે. ટ્રાફિક નિયત્રણને લઈને રાજ્ય સરકાર દ્વારા દંડની રકમમાં અનેક ગણો વધારો ઠોકી દેવામાં આવ્યો છે. ત્યારે ભાજપના આગેવાન ભરત કાનાબારે ટ્રાફિકના નિયમ અને દંડની અધધ રકમ બાબતે ટ્વિટ કર્યું છે. સૌરાષ્ટ્રની ભુતળ સ્થિતિની વાત કરતા જણાવ્યું હતું કે લોકોને મુસાફરી કરવા છકડો રીક્ષા છે. જેમાં લોકો મુસાફરી કરે છે. મુંબઈની ટ્રેનોમાં લોકો લટકીને મુસાફરી કરે છે. જે તેઓની મજબૂરી છે.
ટ્રાફિકના નિયમોનો કડક પણે અમલ કરવો જરૂરી છે. દંડની રકમ વધારવાથી લોકોને સલામતી મળી જ જાશે તે નિરવિવાદ શક્ય નથી. હજુ તો આ નિયમોનો અમલ થયો નથી. ત્યાં જ આમ જનતામાં મોટો આક્રોશ છે. ત્યારે ભાજપના કાર્યકર તરીકે સરકારનું ધ્યાન દોરવા મેં ટ્વિટ કર્યું છે.
ટ્વિટમાં તેમણે લખ્યું કે, મંદી અને બેરોજગારીના સમયમાં ટ્રાફિક દંડમાં થયેલ રાક્ષસી વધારો પ્રજા માટે “દાઝયા પર ડામ” છે. છકડો રિક્ષામાં જાનનું પૂરું જોખમ છે એ જાણવા છતાં ગરીબ નબળી સ્થિતિને કારણે તેમાં મુસાફરી કરે છે. માનવ ઝીંદગી બચાવવાનો હેતુ સિદ્ધ કરવા અમાનવીય દંડ નહિ પણ ટ્રાફિક નિયમોનો સખ્તાઈથી અમલ કરાવો !
મંદી અને બેરોજગારીના સમયમાં ટ્રાફિક દંડમાં થયેલ રાક્ષસી વધારો પ્રજા માટે “દાઝયા પર ડામ” છે. છકડો રિક્ષામાં જાનનું પૂરું જોખમ છે એ જાણવા છતાં ગરીબ નબળી સ્થિતિને કારણે તેમાં મુસાફરી કરે છે. માનવ ઝીંદગી બચાવવાનો હેતુ સિદ્ધ કરવા અમાનવીય દંડ નહિ પણ ટ્રાફિક નિયમોનો સખ્તાઈથી અમલ કરાવો ! pic.twitter.com/emBOGx54re