અમરેલી પંથકમાં માસૂમ બાળકને ઝેર આપી જેનતાએ પણ ઝેરી દવા ગટગટાવી લેતા હડકંપ મચી જવા પામ્યો છે.
અમરેલીના ચિતલમાં માતા પુત્રનો આપઘાત
પુત્રને ઝેર આપી માતાએ પણએ પણ મોત વ્હાલું કર્યું
આપઘાતનું કારણ જાણવા પોલીસ તપાસનો ધમધમાટ
અમરેલીના ચિતલ ગામે સાત મહિનાના પુત્રને ઝેર આપી માતાએ પણ આપઘાત કરતા ચકચાર મચી જવા પામી છે. જે ઘટનાને ધ્યાને લઇ અમરેલી પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. આ મામલે પોલીસે તપાસ હાથ ધરીને આપઘાતનું કારણ જાણવાની દિશામાં કાર્યવાહી આરંભી છે.
7 માસના બાળકને ઝેર આપી જનેતાએ આપઘાત કરી લેતા હડકંપ
અમરેલી જિલ્લાની ગણના શાંત જિલ્લામાં કરવામાં આવે છે અહી ભાગ્યે જ ક્રાઈમની ઘટના સામે આવે છે. તેવામા અમરેલી જિલ્લામાં હચમચાવતી ઘટના સામે આવી છે. જિલ્લાના ચિતલ ગામે માતાએ પોતાના 7 માસના બાળકને ઝેર આપી પોતે આપઘાત કરી લેતા હડકંપ મચી ગયો છે. માતાએ પહેલા પુત્રને ઝેર આપી મોત નિપજાવ્યા બાદ માતાએ પણ ઝેર ગટગટાવી આપઘાતનો પ્રયાસ કરી લીધો હતો. આ અંગે પરિવારજનોને જાણ થતા તાત્કાલિક સારવાર અર્થે અમરેલી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્યાં સારવાર દરમિયાન માતાનું પણ મોત નીપજ્યું હતું. જો કે આ મામલે મોતનું કોઇ સ્પષ્ટ કારણ સામે આવ્યું નથી.
શું હતો માસૂમ સંતાનનો દોષ ?
પોલીસ સૂત્રોમાંથી જાણવા મળતી વિગત પ્રમાણે અમરેલીના ચિતલ ગામે નૈમી ચારણ્ય ગૌ શાળા નદીના કાંઠે રહેણાંક મકાનમાં રહેતા કાજલબેન તુષારભાઈ સાવલિયા નામની 28 વર્ષીય પરણિતાએ પોતાના 7 માસના પુત્ર જયવીર ને ગત તારીખ 01 જૂલાઈના રોજ સવારના 9 વાગ્યાથી બપોરના 2 વાગ્યાના સમય ગાળા દરમિયાન ઝેરી દવા પીવડાવી અને હત્યા નિપજાવ્યા બાદ પોતે પણ ઝેરી દવા પી મોત વ્હાલું કરી લીધું હતું. પરિણીતાના પિતાએ પોલીસને જાણ કરી બનાવ અંગે પોલીસ તપાસ ચલાવી ચાલી રહી છે. જ્યારે આ બનાવમાં પરિણતાના પતિનું નામ તુષાર ભરતભાઈ સાવલિયા જે ચિતલના રહેવાસી છે. તેમજ ઘટનામાં યુવતીના પિતા વિનોદભાઈ મનજીભાઇ ટીંબડીયા નામના ખેડૂત છે. જે બાબરાના ચમારડી પ્લોટ વિસ્તારમાં રહે છે. તેમના દ્વારા બનાવ અંગે તાલુકા પોલીસમાં તેમની પુત્રીના મોતને લઈને જાણ કરવામાં આવી હતી.