અમરેલી ભાજપના નેતા ડૉક્ટર ભરત કાનાબારે ખુદ રાજ્યમાં ઓછામાં ઓછા 14 દિવસના લોકડાઉનની કરી માગણી
અમરેલી ભાજપના નેતા ડૉ.કાનાબારેએ કરી માગ
14 દિવસના લોકડાઉનની જરૂર
કોરોના ચેઇન તોડવા લેવો પડશે નિર્ણય
દેશભરમાં કોરોનાની બીજી લહેર ખતરનાક સાબિત થઇ રહી છે. દિવસેને દિવસે કેસમાં વધારો થઇ રહ્યો છે. ત્યારે રાજ્યમાં ફરી લોકડાઉન લગાવવાની માગ કરવામાં આવી છે. ભાજપ નેતા ડૉક્ટર ભરત કાનાબારે ખુદ રાજ્યમાં ઓછામાં ઓછા 14 દિવસના લોકડાઉનની માગ કરી છે. ભરત કાનાબારેનું કહેવું છે કે, અત્યાર દેશભરમાં લોકોનીની બીજી લહેર ખતરનાક સાબિત થઇ રહી છે. ત્યારે રાજ્યમાં સ્થિતિ એવી છે કે મેડિકલને પણ થોડો વિસામો આપવાની જરૂર છે. જો સરકાર તાત્કાલિક નિર્ણય નહીં લે તો ગુજરાતને પણ મહારાષ્ટ્ર બનતા નહીં અટકાવી શકાય.
ગુજરાતમાં કોરોના વાયરસની લાથડતી પરિસ્થિતિ પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી કરવામાં આવી હતી જેમાં રેમડેસિવિર ઈન્જેક્શનથી લઈને રાત્રિ કર્ફ્યૂ મુદ્દે હાઇકોર્ટે ગુજરાત સરકારને આડે હાથ લીધી છે ત્યારે હવે હાઇકોર્ટે રાજ્ય પાસે એક્શન પ્લાનનો રિપોર્ટ માંગ્યો છે.
કોરોના વધતા કેસ મામલે સરકારને હાઈકોર્ટે નિર્દેશ આપ્યો છે કે લગ્ન-અંતિમ વિધિ સિવાયના તમામ કાર્યક્રમો પર પ્રતિબંધ મુકો અને લગ્નમાં 100 લોકોની મંજૂરી પણ ઘટાડવી જોઇએ. અને માત્ર 50 લોકોને લગ્નમાં જવાની મંજૂરી મળવી જોઈએ.
લગ્ન મુદ્દે હાઈકોર્ટની ટિપ્પણી પર સરકારનો જવાબ
ગુજરાત સરકાર તરફથી કોર્ટમાં રજૂ થનારા AG કમલ ત્રિવેદીએ હાઈકોર્ટમાં લગ્નની સંખ્યા ઘટાડવા મુદ્દે જવાબ આપ્યો હતો. હાઈકોર્ટે કહ્યું કે, સરકાર કેમ લગ્નમાં 50 લોકોની મર્યાદિત સંખ્યા કરતી નથી. જેના જવાબમાં કહ્યું, પહેલા 200 લોકોને મંજૂરી હતી હવે ઘટાડીને 100 કરી દેવાઈ છે. 50ની સંખ્યા કરવા મુદ્દે સરકાર આગળ વિચાર કરશે.
પાંચ વાગ્યામાં રસ્તા પર આવી જાય છે લોકો : HC
હાઇકોર્ટે કહ્યું કે ઓફિસોમાં પણ સ્ટાફ ઘટાડી શકાય. રાત્રિ કર્ફ્યૂ સવારે 6 વાગ્યા સુધી પ્રતિબંધ છે પણ દુકાનો સવારે 5 વાગ્યામાં ખુલે છે. સવારે 5 વાગ્યામાં લોકો રસ્તા પર પણ જોવા મળે છે. વોર્ડ વાઇઝ-સોસાયટી વાઇઝ એક જવાબદાર વ્યક્તિની નીમણૂક કરો.