ટેરર ફંડિગના આરોપસર અલગાવવાદી નેતા યાસિન મલિકની સજા બાદ આતંકીઓએ તેમની હમેંશની ટેવ પ્રમાણે નાપાક હરકત ચાલુ કરી દીધી છે.
જમ્મુ કાશ્મીરમાં આતંકીઓ હવે મહિલાઓ અને બાળકોને બનાવવા લાગ્યા નિશાન
35 વર્ષીય ટીવી અભિનેત્રી અમરીન પર ગોળીઓ વરસાવીને કરી હત્યા
અમરીનના 10 વર્ષના ભત્રીજાને પણ ન છોડ્યો, ગોળીઓ છોડીને કર્યો ઘાયલ
જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓ હવે મહિલાઓ અને બાળકોને નિશાન બનાવવામાંથી પાછળ નથી હટતા. સતત બીજા દિવસે ઘાટીમાં આતંકી ઘટનામાં નિર્દોષ લોકોને ઘાયલ કરવાનો મામલો સામે આવ્યો છે.
Jammu & Kashmir | Terrorists fired upon a civilian in the Chadoora area of Budgam district. Further details awaited.
#UPDATE | Terrorists fired upon one Amreen Bhat at her residence in Chadoora, Budgam today. She was shifted to a hospital where doctors declared her dead. Her 10-year-old nephew also received a bullet injury on his arm: J&K Police pic.twitter.com/VxIuiuFif2
ટીવી એક્ટ્રેસ અમરીન ભટ અને તેના ભત્રીજા પર આતંકીઓએ કર્યો ગોળીબાર
ટીવી એક્ટ્રેસ અમરીન પોતાના ઘરની બહાર પોતાના 10 વર્ષના ભત્રીજા સાથે ઉભી હતી. અચાનક હુમલાખોરોએ તેમના પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. હુમલા બાદ બંનેને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન અમરીનનું મોત નીપજ્યું હતું. સાથે જ તેના ભત્રીજાને હાથમાં ગોળી વાગી છે અને ભત્રીજાની હાલત હાલ ખતરાથી બહાર હોવાનું કહેવાય છે. પોલીસના જણાવ્યા અનુસાર આ ઘટના બુધવારે બડગામ જિલ્લાના ચદૂરાના હિસરુ વિસ્તારમાં બની હતી. અમરીન પર ફાયરિંગ સાંજે 7.55 વાગ્યાની આસપાસ થયું હતું.
અમરીન ભટ જાણીતી ટીકટોક સ્ટાર અને ટીવી એક્ટ્રેસ
ઉલ્લેખનીય છે કે અમરીન ભટ જાણીતી ટીકટોક સ્ટાર છે અને તેના ઘણા ફોલોઅર છે તે ઉપરાંત તે ટીવીમાં પણ કામ કરી રહી છે. તેની હત્યાથી કાશ્મીરમાં અજંપાભરી સ્થિતિ થઈ છે. કાશ્મીરના અલગાવવાદી નેતા યાસિન મલિકની સજાને પગલે આતંકીઓએ આતંકની પહેલી ઘટનાને અંજામ આપ્યો હોવાનું મનાઈ રહ્યું છે.
At around 1955 hrs , terrorists fired upon one lady Amreen Bhat D/o Khazir Mohd Bhat R/o Hushroo Chadoora at her home. She was shifted to hospital in injured condition where doctors declared her dead. Her 10 year old nephew who was also at home recieved bullet injury on his arm.
— Kashmir Zone Police (@KashmirPolice) May 25, 2022
આતંકીઓને પકડવા સમગ્ર વિસ્તારની નાકાબંધી
આ પહેલા મંગળવારે આતંકીઓએ બે આતંકી કૃત્યોને અંજામ આપ્યો હતો. કાશ્મીરની રાજધાની શ્રીનગરમાં જમ્મુ-કાશ્મીરના પોલીસ કોન્સ્ટેબલ સૈફુલ્લા કાદરી પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું, જેમાં તેનું મોત થયું હતું. આ ઘટનામાં તેમની 9 વર્ષની દીકરી ઘાયલ થઈ હતી. દીકરી સૈફુલ્લાને બચાવવાની કોશિશ કરી રહી હતી. સૈફુલ્લાહ રજા પર હતો. મંગળવારે થયેલા બીજા હુમલાની વાત કરીએ તો તે ઘાટીના કુલગામમાં થયો હતો. જિલ્લાના યારીપોરા વિસ્તારમાં આતંકીઓએ સુરક્ષાદળો પર ગ્રેનેડ ફેંકીને ફાયરિંગ કર્યું હતું. આ ઘટનામાં 15 નાગરિકો ઘાયલ થયા છે.
Shocked & deeply saddened by the murderous militant attack on Ambreen Bhat. Sadly Ambreen lost her life in the attack & her nephew was injured. There can be no justification for attacking innocent women & children like this. May Allah grant her place in Jannat. pic.twitter.com/5I9SsymbD0
ટેરર ફંડિગ કેસમાં યાસિન મલિકને આજીવન કારાવાસની સજા
કાશ્મીરીના અલગાવવાદીઓને મોટો ફટકો પડ્યો છે. ટેરર ફંડિગ કેસમાં દોષી ઠેરવવામાં આવેલા કાશ્મીરના અલગાવવાદી નેતા યાસિન મલિકને એનઆઈએ કોર્ટે આજીવન કારાવાસની સજા ફટકારી છે. આજીવન કારાવાસની સજાની સાથે કોર્ટે યાસિન મલિકને 10 લાખનો દંડ પણ ફટકાર્યો છે. બુધવારે એનઆઈએ કોર્ટમાં યાસિન મલિકની સજા અંગે દલીલબાજી ચાલી હતી. સુનાવણી દરમિયાન સરકારી વકીલે મલિકે માટે ફાંસીની સજાની માગ કરી હતી. સુનાવણી દરમિયાન મલિકે એવી કબૂલાત કરી લીધી હતી કે તે કાશ્મીરમાં આતંકી ગતિવિધિઓમાં સંડોવાયેલો હતો. ઉલ્લેખનીય છે કે 19 મેના દિવસે એનઆઈએ કોર્ટ મલિકને ગુનાહિત ષડયંત્ર રચવાના, દેશ સામે યુદ્ધ છેડવાના તથા ટેરર ફંડિગ કેસમાં દોષી ઠેરવ્યો હતો. આ પહેલા યાસીન મલિકને દિલ્હીની પટિયાલા કોર્ટમાં લાવવામાં આવ્યો હતો. આ સજા અંગે કોર્ટમાં ચર્ચા થઈ હતી. ત્યારબાદ કોર્ટે ચુકાદો અનામત રાખ્યો હતો. સજા સંભળાવતા પહેલા પટિયાલા કોર્ટ સંકુલની સુરક્ષા વધારી દેવામાં આવી હતી. કોર્ટ રૂમની બહાર કેપીએફ, સ્પેશિયલ સેલના જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે.
ટેરર ફંડિંગ કેસમાં યાસીન મલિકને આજીવન કેદની સજા ફટકારવામાં આવ્યા બાદ દેશની ગુપ્તચર એજન્સીઓએ દિલ્હી અને એનસીઆરમાં હાઈએલર્ટ જાહેર કર્યું છે. સુરક્ષા એજન્સીઓનું કહેવું છે કે યાસીન મલિકને દોષી ઠેરવવાના વિરોધમાં રાષ્ટ્રીય રાજધાનીમાં આતંકી હુમલો થઈ શકે છે. દિલ્હી પોલીસને સુરક્ષા એજન્સીઓ તરફથી લગભગ 6 થી 7 સંવેદનશીલ એલર્ટ મળ્યા છે. ગુપ્તચર વિભાગ તરફથી દિલ્હી પોલીસને મળેલા ઈનપુટ્સ મુજબ દિલ્હીની તિહાર જેલમાં બંધ અલગાવવાદી નેતા યાસીન મલિકને દોષી ઠેરવવાના વિરોધમાં દિલ્હી એનસીઆરમાં આતંકી હુમલો કરવામાં આવી શકે છે. દેશની રાજધાની દિલ્હી અને એનસીઆર આતંકીઓના નિશાના પર છે.