પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે પશ્ચિમ બંગાળમાં અમ્ફાન વાવાઝોડાના કારણે થયેલા નુકસાનનું હવાઇ નિરીક્ષણ કર્યું. પીએમ મોદીએ હવાઇ નિરીક્ષણ કર્યા બાદ પશ્ચિમ બંગાળને 1,000 કરોડ રૂપિયાના રાહત પેકેજનું એલાન કર્યું હતું. જો કે પીએમ મોદીના આ એલાન બાદ મુખ્યમંત્રી મમતા બેનર્જી ભડકી ઉઠ્યાં છે. મમતા બેનર્જીએ કહ્યું છે કે રાજ્યમાં નુકસાન 1,00,000 કરોડનું થયું છે અને રાહત પેકેજ માત્ર 1,000 કરોડનું આપવામાં આવ્યું છે.
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ જણાવ્યું કે પીએમ નરેન્દ્ર મોદીએ 1,000 કરોડના રાહત પેકેજનું એલાન કર્યું હતું. પીએમ મોદીએ જો કે આ અંગેની બીજી કોઇ જાણકારી આપી નહોતી.
We've to help people so we've started relief work. I told PM that we'll get Rs 53,000 Cr from central govt regarding food subsidy, social schemes & central schemes wherever our money is there. So I said you try to give some money to us so that we can work in this crisis: WB CM https://t.co/J7gzruZ7bh
જો કે બંગાળના સીએમ મમતા બેનર્જીએ કહ્યું કે અમ્ફાન વાવાઝોડાના કારણે 1,00,000 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. જ્યારે 53,000 કરોડ રૂપિયા તો અમારે કેન્દ્ર પાસેથી હજી પણ લેવાના બાકી છે.
પીએમ મોદીએ શું કહ્યું હતું
હવાઇ નિરીક્ષણ કર્યા બાદ પીએમ મોદીએ કહ્યું હતું કે અમ્ફાન વાવાઝોડાથી નિપટવા માટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારે સાથે મળીને પ્રયત્ન કર્યો, પરંતુ તેમ છતાં અંદાજે 80 લોકોના મૃત્યું થયા, જેનું આપણને બધાને દુઃખ છે અને જે પરિવારોએ પોતાના સ્વજન ગુમાવ્યાં છે તેમને પ્રતિ કેન્દ્ર અને રાજ્ય સરકારની સંવેદના છે.
#WATCH Dealing with #COVID19 requires social distancing whereas battling the #AmphanCyclone requires people to move to safer areas. Despite these contradictions, West Bengal under leadership of Mamata ji is fighting well. We are with them in these adverse times: PM pic.twitter.com/pBxjWTlZTq
પીએમ મોદીએ દરેક પ્રકારે મદદ પ્રદાન કરવા માટે કેન્દ્ર અને રાજ્ય મળીને કામ કરી રહ્યાં છે. અત્યારે હાલમાં રાજ્ય સરકારને કોઇ મુશ્કેલીન ન પડે તે માટે 1000 કરોડ રૂપિયાની ભારત સરકાર તરફથી વ્યવસ્થા કરવામાં આવી રહી છે.