ચક્રાવાતી વાવાઝોડા અમ્ફાને પશ્ચિમ બંગાળ પહોંચ્યા બાદ ભારે તબાહી મચાવી હતી. ભારે હવાઓની સાથે અનેક વૃક્ષો ઉખડી ગયા હતા. તેની ચપેટમાં આવ્યા બાદ અનેક લોકોના મોત થયા છે. ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા અને સાથે જ બચાવ કાર્ય શરૂ થયું હતું. એક વૃક્ષ એવી રીતે પડ્યું કે તેણે બસનું છાપરું જ ચીરી નાંખ્યું હતું.
ચક્રાવાત અમ્ફાનનો કહેર
બંગાળ અને ઓરિસ્સામાં મચાવ્યો કહેર
વૃક્ષોના કહેરથી બસ પણ ચીરાઈ
બંગાળમાં અમ્ફાનનો કહેર
ભાર વરસાદ અને 190 કિમી પ્રતિ કલાકની ઝડપે હવાઓની સાથે અમ્ફાને બુધવારે બપોરે અઢી વાગે પશ્ચિમ બંગાળ પહોંચ્યું. આ પછી રાજ્યના અનેક વિસ્તારમાં તબાહીનો દોર શરૂ થયો.
રાજધાની કોલકત્તાના અનેક વિસ્તારોમાં ચક્રાવાત વાવાઝોડાના કારણે ભારે હવાઓના કારણે ઝાડ ઉખડી ગયા હતા. આ સમયે જે પણ તેની ઝપેટમાં આવ્યા તેની સ્થિતિ જણાવવા લાયક નથી. એક જગ્યાએ વાવાઝોડામાં પડી ગયેલા ઝાડે આખી બસ કાપી નાંખી.
ઉત્તર 24 પરગાણામાં એક પુરુષ અને એક મહિલાની ઉપર ઝાડ પડવાના કારણે તેમના મોત થયા હતા. હાવડામાં આ પ્રકારની ઘટનામાં 13 વર્ષની બાળકીનું મોત થયું હતું. ઝાડ પડવાથી બંઝ થયેલી સડકોને સાફ કરવા માટે મશીન તૈયાર કરી દેવામાં આવી છે. ભારે વરસાદના કારણે કોલકત્તામાં અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા.
5 લાખ લોકોને મળી રાહત
અમ્ફાનના કારણે કોલકત્તા એરપોર્ટ માર્ગ પર ઝાડ પડ્યા. આ સમયે રાષ્ટ્રિય આપદા પ્રતિક્રિયા ટીમે મુશ્કેલી બાદ રાહતનું કામ પૂરું કર્યું. રાજ્ય સરકારે 5 લાખથી વધારે લોકોને સુરક્ષિત સ્થળે પહોંચાડ્યા હતા. ભારતના હવામાન વિભાગે જણાવ્યું કે અમ્ફાને આવનારા 3 કલાકના સમયમાં તેને ધીમું પડવાની આશા રાખી છે.