અનિલ સ્ટાર્ચના માલિક અમોલ શેઠની 1500 કરોડનું ફુલેકુ ફેરવવા મામલે ફરી ધરપકડ કરવામાં આવી છે, કૌભાંડોનું ફોરેન્સિક ઓડિટ કરવામાં આવશે
અમોલ શેઠની ફરી એક વખત ધરપકડ
1.55 કરોડની છેતરપિંડી મામલે ધરપકડ
કૌભાંડોનું ફોરેન્સિક ઓડિટ કરવામાં આવશે
કરોડોનું ફુલેકુ ફેરવનાર અનિલ સ્ટાર્ચના માલિક અમોલ શેઠની ધરપકડ કરવામાં આવી છે. રુપિયા 1500 કરોડનું ફુલેકુ ફેરવનાર અમોલ શેઠની ફરી એક વખત ધરપકડ કરવામાં આવી છે. કોર્ટમાં ટ્રાન્સફર વોરન્ટ મેળવી સાબરમતી જેલથી અમોલ શેઠની ધરપકડ કરવામાં આવી છે. જે બાદ 1.55 કરોડની છેતરપિંડી મામલે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
1500 કરોડની ઉચાપત કર્યાનો આરોપ
હવે કૌભાંડી અમોલ શેઠના કૌભાંડોનું ફોરેન્સિક ઓડિટ કરવામાં આવશે તેમજ સમગ્ર કૌભાંડની તપાસ માટે ખાસ એક પેનલ નિમણૂંક કરવામાં આવશે, મહત્વનું છે કે હિસાબી વ્યવહાર તપાસવા ચાર્ટડ એકાઉન્ટન્ટની પણ નિમમૂંક કરાશે તેમજ ક્રાઈમ બાન્ચમાં ફરિયાદને આધારે તપાસ માટે 4 જેટલા ક્રાઇમ બ્રાન્ચના PIની નિમણૂક કરવામાં આવશે. એવું મનાઈ રહ્યું છે કે અમોલ શેઠની 20 કંપનીઓના ડેટા મેળવી તપાસ કરવામાં આવશે જેમાં ઘણા મોટા માથાઓની સંડોવણી સામે આવી શકે છે. તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે એમુલ શેઠે કંપનીના ટોપ કર્મચારીઓને 40 જેટલી ગાડીઓ ગીફ્ટમાં આપી છે તેને લઈને પણ તપાસ કરવામાં આવશે
ઉદ્યોગપતિ અમોલ શેઠની શું હતી મોડસ ઓપરેન્ડી
અનિલ સ્ટાર્સના અમોલ શેઠનું નામ અમદાવાદમાં જાણીતું છે પરતું હવે તે એક ઠગ તરીકે પણ વધુ જાણીતું બન્યું છે.. અનિલ સ્ટાર્ચ મીલના માહલિ અનુલ શેઠે એક સ્કીમ ઉભી કરી જેમાં અમોલ શેઠ અને સાથીદારોએ રોકાણકારો સાથે છેતરપિંડી આચરી હતી. અમોલ શેઠે અનિલ ટ્રેડકોમ નામની એક કંપની બનાવી હતી જે બાદ 2015માં આ કંપનીમાં રોકાણકારોને નાણા રોકવા અનુરોધ કર્યો હતો, અને એટલું જ નહીં ઠગબાજ ટોડકીએ રોકાણકારને બદલામાં 120થી 180 દિવસમાં 12 ટકા વળતરની ખાતરી આપી હતી, મહત્વનું છે કે અનિલ ગ્રુપ મોટું હોવાથી કંપનીમાં નાણા રોકવા રોકાણકારો તૈયાર થયા, આમ સમગ્ર કાંડમાં અમોલ શેઠે મકાઇની ખરીદી રોકાણકારોના નામે કરીને નાણા ઉભા કરવાનો કારસો રચ્યો હતો, જો કે અનિલ ટ્રેડકોમની ખરીદેલી પ્રોડક્ટ અનિલ સ્ટાર્સમાં જતી હોવાથી શરૂઆતમાં ફાયદો થયો હતો જે બાદ લોકોને વિશ્વાસ પેદા થવા માંડ્યો કે ઉદ્યોગ ગ્રુપમાં નાણા રોકવામાં ફાયદો છે
મોટા ઉદ્યોગપતિએ સેંકડો રોકાણકારોને નવડાવ્યા
આ રીતે આ રીતે 2015થી 2017 સુધી અસંખ્ય લોકોએ નાણા રોક્યા હતા, આમ બે વર્ષમાં અમોલ શેઠ અને સાથીદારોએ 1500 કરોડ રૂપિયા એકઠા કર્યા હતા. જો કે નાણા મળી ગયા પછી અમોલ શેઠે રોકાણકારોને નક્કી કરેલું વળતર ન વિવાદ સર્જાયો હતા. આમ ઉદ્યોગપતિએ કંપનીમાં રોકાણના નામે લોકો પાસેથી નાણા ખંખેર્યા હોવાનું સામે આવતા અમોલ શેઠ સામે ક્રાઈમ બ્રાંન્ચ સહિત વિવિધ જગ્યા ફરિયાદ નોંધાઈ હતી પરતું અમોલ શેઠને રાજકીય પીઠ બળ હોવાથી તેની સામે કાર્યવાહી થઈ શકતી નહોંતી એવું પણ મનાઈ રહ્યું છે, આખરે લાંબા સમય બાદ અમોલ શેઠની ધરપકડ કરવામાં આવી અને તેને સાબરમતી જેલ મોકલી આપવામાં આવ્યો હતો પરતું આજે ફરી ક્રાઈમ બ્રાન્ચે ટ્રાન્સફર વોરંટના આધારે તેની ફરી ધરપકડ કરી છે.