આંતરાષ્ટ્રીય માનવાધિકાર સંગઠન એમનેસ્ટી ઈન્ટરનેશનલ ઈન્ડિયાએ ભારતમાં પોતાના કામ કાજ પર રોક લગાવી દીધી છે. એમનેસ્ટીનો આરોપ છે કે 10 સપ્ટેમ્બર 2020ના રોજ ભારત સરકારે સંસ્થાના તમામ અકાઉન્ટ ફ્રીજ કરી દીધા છે. આ બાદ તેણે પોતાના મોટા ભાગના સ્ટાફને કાઢી મુકવો પડ્યો છે. સંસ્થાએ ભારત સરકાર પર નિરાધાર અને બાયસ કામગીરી કરવાનો આરોપ લગાવ્યો છે.
એમનેસ્ટી ઇન્ટરનેશનલ ઇન્ડિયાએ ભારતમાં કામ કર્યુ બંધ
સરકારે અમારા તમામ એકાઉન્ટો ફ્રિજ કર્યા: એમનેસ્ટી
દિલ્લી હિંસા-JKની સ્થિતી પર અવાજ ઉઠાવતા કાર્યવાહી: એમનેસ્ટી
સંસ્થાએ ફોરેઇન કન્ટ્રીબ્યુશન એક્ટનું પાલન નથી કર્યુ: સરકાર
એમનેસ્ટી ઈન્ટરનેશનલ ઈન્ડિયાના કાર્યકારી ડિરેક્ટર અવિનાશ કુમારે કહ્યું કે છેલ્લા બે વર્ષમાં સંસ્થાનોની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે. અને બેંકોના ખાતાને ફ્રીઝ કરવું તે આકસ્મિક નથી. પ્રવર્તનમાન નિર્દેશાયલ સહિત સરકારી એજન્સીઓ દ્વારા તેમને સતત હેરાન કરવામાં આવી રહ્યા છે. હાલમાં અમે દિલ્હી હિંસા અને જમ્મુ- કાશ્મીરની સ્થિતિ વિશે અવાજ ઉઠાવ્યો હતો. આ બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે.
આંતરરાષ્ટ્રીય સંસ્થાએ ભારતમાં કામકાજ બંધ કર્યું છે. આંતરરાષ્ટ્રીય માનવાધિકાર સંસ્થા છે એમનેસ્ટી. તેના આક્ષેપોનો જવાબ આપતા સરકારે કહ્યું છે કે સંસ્થાએ ફોરેઇન કન્ટ્રીબ્યુશન એક્ટનું પાલન કર્યુ નથી. ભારત સરકાર તેમના નાણા વ્યવહારને મની લોન્ડરિંગનો મામલો ગણાવી રહી હોવાનો આક્ષેપ પણ સંસ્થાએ કર્યો છે.