તમારી ડાયટમાં આ એક વસ્તુ સામેલ કરી લેશો તો અનેક રોગોથી છૂટકારો મળી જશે. ચાલો જાણીએ.
બહુ જ કામનું છે 1 ગ્લાસ આમળાનો જ્યૂસ
બીમારીઓથી બચવું હોય તો રોજ કરો સેવન
આમળાને ડાયટમાં સામેલ કરવા છે જરૂરી
આમળામાં અનેક પોષક તત્વો હોય છે. તેનાથી સ્વાસ્થ્ય સંબંધી ઘણી સમસ્યાઓ દૂર થાય છે. આમળાને અનેક રીતે ડાયટમાં સામેલ કરી શકાય છે. જેમાંથી એક રીત છે આમળાનો જ્યૂસ છે. ચાલો જાણો તેનું સેવન કરવાની રીત.
આમળાનું પાણી તૈયાર કરવાની રીત
આમળાનું પાણી તૈયાર કરવા માટે પહેલાં આમળાને સારી રીતે ધોઈ લો. આ પછી તેના નાના નાના ટુકડા કરી કાપીને તડકામાં સૂકવવા રાખો. થોડાં દિવસો પછી આમળા સારી રીતે સુકાઈ જશે. હવે તેના ટુકડાને મિક્સરમાં પીસી લો. આ પાઉડરને 1 ચમચી એક ગ્લાસ પાણીમાં નાંખો અને હલાવો. તમારું આમળાનું પાણી પીવા માટે તૈયાર છે. આ પાણી પીવાનો બેસ્ટ સમય સવારનો છે. રોજ સવારે ખાલી પેટ આ પાણી પીવો.
આ છે ફાયદા
ડાયાબિટીસ
શુગરના દર્દીઓ માટે આમળા બહુ જ લાભકારી છે. આમળા બ્લડ શુગરને કંટ્રોલ કરે છે. જેથી રોજ આમળાનો જ્યૂસ પીવો. તેનાથી આરામ મળશે.
સ્કિન માટે બેસ્ટ
આમળા સ્કિનની ઘણી સમસ્યાઓને દૂર કરે છે. આમળાનું પાણી પીવાથી પિંપલ્સ, કરચલીઓ, ખુજલી સહિત ડાર્કનેસને દૂર કરે છે.
આંખોની રોશની
આમળામાં વિટામિન એ ભરપૂર પ્રમાણમાં હોય છે. તે આંખોની રોશની વધારવામાં મદદ કરે છે. તેનું સેવન કરવાથી આંખો હેલ્ધી રહે છે.
વજન ઘટાડે છે
ઘણાં લોકોને આજકાલ વજન વધી જવાની સમસ્યા છે. એવામાં આમળાનું પાણી શરીરમાં ચરબી જમા થવા દેતું નથી. આમળામાં ભરપૂર પ્રમાણમાં અમીનો એસિડ હોય છે. આ શરીરની મેટાબોલિક રેટને સુધારે છે. તે શરીરમાં ચરબી જમા થવા દેતું નથી.