દ્વારકા જિલ્લામાં છેલ્લા બે દિવસમાં મેઘ મહેર જોવા મળી હતી. જેના કારણે જિલ્લાના તમામ ડેમો અને તળાવો છલકાયા છે. જિલ્લાના ખાખરડા ગામે આવું અમીયાણા તળાવ પણ 4 વર્ષ પછી છલકાઈ ગયું છે. જેને લઈને આસપાસના ગામડાના લોકોમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે. કારણ કે, આ તળાવ છલકાવાથી અંદાજીત આસપાસના 5થી 6 ગામોની પાણીની સમસ્યા દૂર થશે. સિંચાઈના પાણીનો પણ ખેડૂતોને લાભ મળશે. તળાવ ભરાતા ખુશખુશાલ જોવા મળતા ખેડૂતોએ તળાવમાં આવેલા નવા નીરનું નાળિયેર અને ચૂનરી પધરાવી સ્વાગત કર્યું હતું. સાથે જ કુદરતનો આભાર પણ વ્યક્ત કર્યો હતો કે, પહેલા જ વરસાદે તળાવને છલોછલ ભરી દીધું. તેમની પાણની સમસ્યાને દૂર કરી છે.
જામકલ્યાણપુર તાલુકાનુ સહુથી મોટું તળાવ અમિયાણા તળાવ 8 ઇંચ વરસાદથી છલકાતા ખાખરડા તેમજ આસપાસના 4 ગામોનો પીવાની તેમજ સિંચાઇની પાણીની સમસ્યા એક ઝાટકે હલ થઈ ગઈ છે.
દ્વારકા જિલ્લામાં આવેલા ભારે વરસાદના કારણે જામકલ્યાણપુર તાલુકાનું સહુથી મોટું તળાવ જે અમીયાણા તળાવ જે ખાખરડા ગામે આવેલું છે. 585 ફૂટ લંબાઈ ધરાવતું અને 12 ફૂટની ઊંડાઈ ધરાવે છે. એક કિલોમીટરથી વધુ વિશાળ જગ્યામાં પથરાયેલા આ અમીયાણા તળાવની ઊંડાઈ પણ ખૂબ વધારે હોય છે. આ તળાવ છેલ્લા 3 વર્ષથી ખાલી ખમ હોઈ અહીં ખેડૂતો માટે આ જીવાદોરી સમાન આ ડેમ 4 ગામો માટે આશીર્વાદ રૂપ બનતો આવ્યો છે. ત્યારે આ વખતે 24 કલાક પડેલા અનરાધાર વરસાદના કારણે આ તળાવ છલકાય જતા આસપાસના ખેડૂતોમાં ભારે હર્ષની લાગણી છે.
દ્વારકા જિલ્લામાં સાર્વત્રિક 5થી 8 ઇંચ વરસાદ નોંધાયો છે. ત્યારે કલ્યાણપુર તાલુકાના આસપાસના ગામોમાં ભારે 6થી 8 ઇંચ વરસાદ થતા નાના મોટા ચેકડેમ નદી નાળા છલકાય ગયા હતા. ત્યારે ખાખરડા ગામે આવેલ કલ્યાણપુર તાલુકાનું મોટું તળાવ અમીયાણા તળાવ 7 ઇંચ વરસાદ ઉપર ખાબકતા 3 વર્ષ બાદ છલકાતા આ નવા નીર ને વધાવવા આસપાસના ગામના ખેડૂતો આ તળાવ પહોંચી નવા નિરના વધામણાં કર્યા હતા.
આ તળાવ છલકાય જતા પટેલકા ખાખરડા કેનેડી સહિતના ગામોના ખેડૂતો માટે આ વર્ષે સારું જવાના સંકેત આપી દીધા છે. આસપાસ કૂવાઓમાં પણ પાણી ન સ્તર આ તળાવના લીધે ઊંચા આવી ગયા છે. તો પીવા અને સિંચાઇનો મોટો પ્રશ્ન કુદરતે એક ઝાટકે 24 કલાકમાં સુલજાવી દેતા ખેડૂતોએ પણ કુદરત અને મેઘરાજાનો આભાર માન્યો હતો. આ તળાવ કલ્યાણપુર તાલુકાનું સહુથી મોટું ઊંડું અને પહોળું તળાવ છે જે 4 ગામોની સિંચાઇ તેમજ પીવાના પાણી માટે જીવાદોરી સમાન છે.
એક સમય મુરજાતી મગફળીના પાકને એક તરફ સારા વરસાદના કારણે નવું જીવતદાન મળ્યું છે. તો બીજી તરફ આ તળાવ ભરાય જવાથી હવે બીજું સિંચાઈનું પણ જરૂરી મળી રહેશે. જેથી ખેડૂતો માટે ખૂબ રાહતના સમાચાર છે કે આ અમિયાણા તળાવ સંપૂર્ણ ભરાય જતા ખેડૂતોમાં ભારે હર્ષની લાગણી છે.