દેશના ઘણા વિસ્તારો પૂરગ્રસ્ત થયા છે. મહારાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં પૂરને કારણે ખેતી પર અસર થઇ છે જ્યારે પાકને પણ નુકસાન થયું છે. પૂર પીડિતોની મદદ માટે બોલિવુડની મોટી હસ્તીઓ આગળ આવી છે.
બોલિવુડના શહેનશાહ બિગ બી (અમિતાભ બચ્ચન) એ મુખ્યમંત્રી રાહતકોષમાં 51 લાખ રૂપિયાનું દાન કર્યુ છે. અમિતાભ બચ્ચનના આ મદદની જાણકારી મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પોતાના ઑફિશ્યલ ટ્વિટર એકાઉન્ટ પર આપી છે અને તેમનો આભાર પણ માન્યો છે.
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ફડણવીસે લખ્યુ છે કે, ''પૂર પીડિતોની મદદ માટે આગળ આવ્યા અને મુખ્યમંત્રી રાહત ફંડમાં 51 લાખ રૂપિયાનું દાન કર્યુ... આભાર અમિતાભ બચ્ચનજી.. તમારા આ પગલાથી કોલ્હાપુર, સાંગલી અને સતારા જેવા પૂર પ્રભાવિત જિલ્લઓમાં અમારા પુનર્વસન પ્રયાસોમાં તમારું આ પગલું અમને મદદરૂપ થશે અને યોગદાન કરવા માટે અનેક લોકોને પ્રેરિત કરશે.''
Thank you Amitabh Bachchan ji for your gesture of coming forward & contributing ₹51,00,000 towards #CMReliefFund#MaharashtraFloods
This will inspire many to help & contribute in our rehabilitation efforts for flood affected dists like Kolhapur, Sangli and Satara.@SrBachchan
અમિતાભ બચ્ચન સિવાય લતા મંગેશકર અને આમિર ખાને પણ દાન કર્યુ છે. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે ટ્વીટ કરીને જાણકારી આપી છે કે, ''મુખ્યમંત્રી રાહત ફંડ માટે આમિર ખાને 25 લાખ અને લતા મંગેશકરે 11 લાખ રૂપિયાનુ દાન કર્યુ છે.''
We are also thankful to Respected Lata Didi for the contribution of ₹11,00,000/- (₹11 lakh) towards #CMReliefFund#MaharashtraFloods !
आदरणीय लतादीदी मंगेशकर यांच्याकडून मुख्यमंत्री सहायता निधीसाठी ११ लाख रुपयांचे योगदान प्राप्त झाले, मी त्यांचा अतिशय आभारी आहे!@mangeshkarlata
મહારાષ્ટ્રના સાંગલીમાં પૂરના કારણે ઘણા વિસ્તારમાં એવી સ્થિતિ છે કે, NDRF અને SDRFની સાથે સાથે સેના અને નૈસેનાને મદદ માટે આગળ આવવુ પડ્યુ છે. સાંગલીમાં સૌથી વધારે અસર થઇ છે. રસ્તાઓ પર માત્ર પાણી જ પાણી છે. 3.78 લાખ લોકો બેઘર થયા છે, જેમણે 423 રિલીફ કેપ્સમાં આશરો આપવામાં આવ્યો છે. રિતિક રોશનથી લઇને રિતેશ દેશમુખ જેવા સ્ટાર્સે સોશ્યલ મીડિયા પર આ અંગે ટ્વીટ કરીને ચિંતા વ્યક્ત કરી છે. રિતેશ દેશમુખ અને પત્ની જેનેલિયાએ પણ 25 લાખ રૂપિયાનું દાન મુખ્યમંત્રી રાહત ફંડમાં કર્યુ છે.
Thank you Riteish and Genelia Deshmukh for the contribution of ₹25,00,000/- (₹25 lakh) towards #CMReliefFund for #MaharashtraFloods !
પૂર પછી મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કેબિનેટ બેઠક પછી કહ્યુ કે, કેન્દ્રથી 6813 કરોડ રૂપિયાની રાશિની માંગ કરવામાં આવી હતી, જેમાંથી 4708 કરોડ રૂપિયા કોલ્હાપુર, સાંગલી અને સતારા માટે તથા 2105 કરોડ રૂપિયા કોંકણ, નાસિક અને અન્ય મહારાષ્ટ્રના માટે આપવામાં આવ્યા. આ સિવાય સરકારે નાના વેપારીઓને થયેલા નુકસાનની ભરપાઇ માટે 300 કરોડની માંગ કરી હતી.
આસામ પૂર વખતે બિગબી- અક્ષયની મદદ:
આ પહેલાં અમિતાભ બચ્ચને આસામ પૂર પીડિતોને પણ મદદ કરી હતી. તે સમયે પણ બિગ બીએ મુખ્યમંત્રી રાહત ફંડમાં 51 લાખ રૂપિયા આપ્યાં હતાં. ત્યારે આસામના મુખ્યમંત્રી સર્બાનંદ સોનોવાલેએ ટ્વિટર પર અમિતાભનો આભાર માન્યો હતો. આ સિવાય અક્ષય કુમારે અસમ અને કાઝીરંગા નેશનલ પાર્કમાં પૂર રાહત ફંડમાં 1-1 કરોડ રૂપિયાનું દાન કર્યુ હતુ.
We appreciate Shri Amitabh Bachchan ji for contributing Rs. 51 lakh to Chief Minister's Relief Fund. This is a great gesture & show of care for the people.
Thank you, on behalf of the people of Assam, for your support. @SrBachchan
— Sarbananda Sonowal (@sarbanandsonwal) July 23, 2019
Absolutely heartbreaking to know about the devastation by floods in Assam.All affected, humans or animals,deserve support in this hour of crisis.I’d like to donate 1cr each to the CM Relief Fund & for Kaziranga Park rescue.Appealing to all to contribute @CMOfficeAssam@kaziranga_