સોની ટીવી પર પ્રસારિત થનારો ગેમ રિયાલિટી શો ‘કૌન બનેગા કરોડપતિ 11’ના ચાહકો માટે ખરાબ સમાચાર છે, કારણ કે આ શો ટૂંક જ સમયમાં બંધ થવા જઇ રહ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ડિસેમ્બર પહેલાં એક બીજો પોપ્યુલર શો સોની ટીવીમાં કેબીસીના સમય પર શરૂ થવા જઈ રહ્યો છે, જેના કારણે કેબીસી નવેમ્બરના અંત સુધી ઑફ એર થઈ જશે.
સોની પર શરૂ થવા જઈ રહ્યો છે પોપ્યુલર શો 'બેહદ-2'
29 નવેમ્બરે કેબીસીનો છેલ્લો એપિસોડ ટેલિકાસ્ટ થશે
મહિલાઓને સમર્પિત હશે આ એપિસોડ
પિંકવિલાના તાજેતરના એક અહેવાલ મુજબ, ‘કૌન બનેગા કરોડપતિ 11’ આ મહિનાની 29 નવેમ્બરથી ઑફ એર કરી દેવામાં આવશે. શોનો છેલ્લો એપિસોડ અદભૂત હશે, કારણ કે તે મહિલાઓને સમર્પિત છે. કેબીસીના અંતિમ દિવસે ઈન્ફોસિસના સહ-સ્થાપક નારાયણ મૂર્તિની પત્ની સુધા મૂર્તિ શો પર પહોંચશે. સુધા ટાટા એન્જિનિયર કંપની અને લોકમોટિવમાં કામ કરનારા પ્રથમ મહિલા એન્જિનિયર હતા અને પછી તેઓ સુધા ઈન્ફોસિસ કંપનીના ટ્રસ્ટી બની ગયા હતા. આ સિવાય સુધા એક લોકપ્રિય લેખક પણ છે.
'બેહદ 2' કેબીસીને રિપ્લેસ કરશે
તમને જણાવી દઈએ કે ચેનલના ઓફિશિયલ પેજથી ચેનલના પોપ્યુલર શો 'બેહદ 2'નું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું હતું. આ શોની લીડ એક્ટ્રેસે ટ્રેલર રિલીઝના સમયે જણાવ્યું કે તેમનો શો ‘કૌન બનેગા કરોડપતિ 11’ને રિપ્લેસ કરવાનો છે. જોકે, શોનો ટાઈમ હાલ નક્કી થયો નથી.
‘કૌન બનેગા કરોડપતિ’ હમેશાથી દર્શકોનો પ્રિય કાર્યક્રમ રહ્યો છે. આ સીઝનમાં આ શોને ચાર કરોડપતિ મળ્યા છે. જેમનો જોવાનો અનુભવ અદભૂત હતો. થોડાં સમય પહેલાં જ શોમાં બિહારના અજીત કુમાર હોટશીટ પર પહોંચ્યા હતા અને બહુ જ સરસ રીતે ગેમ રમીને તેમણે 1 કરોડ રૂપિયા જીત્યા હતા. આ શોમાં અજિતકુમાર, સનોજ રાજ, ગૌતમ કુમાર ઉપરાંત બબીતા તાડે પણ કરોડપતિ બની ગયા છે.